શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં 15 એપ્રિલે થી કરશે લોકડાઉન ? જાણો શું છે સમગ્ર હકીકત.

Published on: 6:44 pm, Thu, 15 April 21

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ખૂબ જ બેકાબુ થઇ ગઈ છે. દેશમાં સતત કેસમાં વધારો થઈ રહ્યો છે અને મૃત્યુના પ્રમાણમાં પણ વધારો થઇ રહ્યો છે. એવામાં સોશિયલ મીડિયામાં એક સમાચાર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચારમાં કહેવામાં આવે છે કે સમગ્ર ભારત દેશમાં સરકાર તરફથી 15 થી 30 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન લાગશે આ મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

એક તરફ દેશમાં લોકડાઉન ને ફેલાઈ રહી છે અને બીજી તરફ સરકાર કરી રહી છે કે મારા તરફથી આવો કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. PIB દ્વારા મેસેજ ની તપાસ કરવામાં આવી.

તો આ મેસેજ Morphed હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત તેમને કહ્યું કે ભારત સરકાર દ્વારા કોઈપણ પ્રકારના લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી નથી.

તે માટે દેશના કોઇપણ નાગરિકોએ આવી અફવાથી ડરવું નહીં. કોરોના ના કાળ દરમ્યાન આવા ફેક ન્યુઝ વાયરલ ખૂબ જ ઝડપી રીતે થાય. તેના કારણે સમગ્ર દેશમાં નાગરિકો વચ્ચે હાહાકાર મચી જાય છે.

ભારત સરકારનું કહેવું છે કે આવા કોઈ પણ પ્રકારના મેસેજથી લોકોએ ડરવું નહીં.તે માટે PIB દ્વારા આ મેસેજને કે સમાચાર ને એક ગણવામાં આવ્યા છે.

એટલે જનતાને ખાસ વિનંતી છે કે આ મેસેજને સાચો માનવો નહીં.દેશમાં અત્યાર સુધી 1,40,74,564 કોરોના ના કેસ નોંધાયા છે. તેમાં ડિસ્ચાર્જ ની સંખ્યા 24,29,564 લોકો કોરોના માંથી ડિસ્ચાર્જ થયા છે.

અત્યારે દેશમાં કુલ એક્ટિવ કેસ 14,71,877 છે અને દેશમાં કુલ મૃત્યુનો આંકડો 1,73,121 લોકો કોરોના થી મૃત્યુ પામ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં 15 એપ્રિલે થી કરશે લોકડાઉન ? જાણો શું છે સમગ્ર હકીકત."

Leave a comment

Your email address will not be published.


*