પતિની સામે પત્નીએ જીવ ગુમાવ્યો : સુરતમાં બનેલી બસ દુર્ઘટમાં સળગતી બસમાંથી પતિ કુદી ગયો, પરંતુ પત્ની બારીમાં ફસાઈ જતાં મૃત્યુ…

Published on: 4:39 pm, Wed, 19 January 22

સુરતમાં ગઇકાલે રાત્રે હીરાબાગ સર્કલ પાસે બનેલી બસ દુર્ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલી મહિલા મૂળ ભાવનગરની રહેવાસી હતી. મળતી માહિતી અનુસાર મહિલા પતિ સાથે લગ્ન બાદ હનીમુન માટે ગોવા ગયા હતી. ગોવાથી પર જ તેઓ સુરત ફર્યા હતા અને તેઓ ગઈકાલે સુરત થી ભાવનગર જવા માટે રાજધાની બસમાં બેસીયા હતા.

ત્યારે સુરતના હીરાબાગ સર્કલ પર બસમાં શોર્ટસર્કિટથી થવાના કારણે આગ લાગી ઉઠી હતી. બસમાં ટૂંક સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ સમગ્ર ઘટનામાં પતિ વિશાલ સળગતી બસની બારીમાંથી ઉડી ગયો હતો, ત્યારે વિશાલની પત્ની તાનિયા બસની બારીમાં જ ફસાઈ જતાં તેનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર તેઓ ગોવા હનીમુન ઉપર ગયા હતા. ગઇકાલે તેઓ ગોવા થી સુરત આવ્યા હતા અને રાત્રે રાજધાની નામની લક્ઝરી બસમાં બેસીને ભાવનગર આવવા માટે પરત આવી રહ્યા હતા.

ત્યારે હીરાબાગ સર્કલ પાસે બસમાં આગ લાગી હતી અને આ ઘટનામાં વિશાલની પત્ની તાનીયાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનામાં વિશાલ પણ ઈજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર બસમાં શોર્ટસર્કિટથી થવાના કારણે આગ લાગી ઉઠી હતી.

આગ લાગવાના કારણે બસની અંદર ગરમી ખૂબ જ વધી ગઈ હતી અને તેના કારણે બસનું એસીનું કમ્પ્રેસર ફાટી ગયું હતું. તેના કારણે બસમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પતિની સામે પત્નીએ જીવ ગુમાવ્યો : સુરતમાં બનેલી બસ દુર્ઘટમાં સળગતી બસમાંથી પતિ કુદી ગયો, પરંતુ પત્ની બારીમાં ફસાઈ જતાં મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*