ગુજરાત રાજ્યમાં નવરાત્રી અંગે વિજય રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય?જાણો વિગતે

Published on: 11:24 am, Sun, 27 September 20

ગુજરાત રાજ્યની સૌથી મોટો તહેવાર અને ગુજરાતની શાન ગણાવતી નવરાત્રી ની બધા જ ગુજરાતીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આ વર્ષે નવરાત્રિના આયોજન ની મંજૂરી મળશે કે નહીં તેની અટકળો ચાલી રહી છે.આ માહોલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના મહામારી ના કારણે ચાલુ વર્ષે વાઇબ્રન્ટ નવરાત્રી નહિ ઉજવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવરાત્રી મહોત્સવના 17 થી 25 ઓક્ટોબર દરમ્યાન રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ મોકૂફ રાખવાનો સરકારે નિર્ણય લીધો છે. આ કારણે સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં નવરાત્રી ની મંજૂરી નહીં મળે.

વાઇબ્રન્ટ નવરાત્રી મોકૂફ રાખવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આ વર્ષે 17 થી 25 ઓક્ટોબર દરમિયાન નવરાતી છે પણ વિશ્વવ્યાપી કોરોના મહામારી ના કારણે અમારી સરકારે આ વર્ષે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં રાજ્યકક્ષાનો મહોત્સવ ઉજવણી નહીં કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

કોરોના કાળમાં નાગરિકોની સલામતી આપણા સૌની સૌથી મોટી પ્રાથમિકતા છે. વિશાળ જન હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.કલાકારોની ગરબા યોજવા દેવા ની માંગને લઇને. રાજ્ય સરકારે હજી કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.

છતાં પણ મંજૂરી નહીં આપવાના સંકેત આપી દેવાયો હોય તેવું ગુજરાતની જનતાને લાગી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં નવરાત્રી અંગે વિજય રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય?જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*