5 મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર પતિ-પત્નીનો જીવ લઈ લેવામાં – જીવ લેવા પાછળનું કારણ શું હોઈ શકે છે?

Published on: 11:27 am, Thu, 19 May 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાંચ મહિના પહેલા પ્રેમ લગ્ન કરેલા પતિ-પત્નીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આજ સવારે રૂમમાંથી પતિ અને પત્નીનો મૃતદેહ મળી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર બંને પાંચ મહિના પહેલા ડિસેમ્બર મહિનામાં પ્રેમલગ્ન કર્યા હતા. મળતી માહિતી અનુસાર કોઈ નજીકના વ્યક્તિએ બંનેનો જીવ લીધો છે તેવું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના કાનપુરના બાજરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના રામબાગમાં બની હતી. રામબાગમાં રહેતા 27 વર્ષીય શિવમ ડિસેમ્બર મહિનામાં એટલે કે પાંચ મહિના પહેલા 25 વર્ષીય જુલી રાજપૂત સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બંને રામબાગમાં પરિવાર સાથે રહેતા હતા.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા શિવમના પિતાએ જણાવ્યું કે, હું મારા નાના દીકરા સાથે રાત્રે ધાબા પર સુવા ગયો હતો. દીકરો શિવમ અને પુત્રવધૂ નીચેની રૂમમાં સૂતા હતા. જ્યારે હું સવારે નીચે આવ્યો ત્યારે રૂમમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. ધારદાર વસ્તુ વડે કોઈ કે બંનેનો જીવ લઇ લીધો હતો.

ત્યાર બાદ મેં આ ઘટનાની જાણ મકાનના માલિક અને પોલીસને કરી હતી. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

કયા કારણોસર પતિ અને પત્ની નો જીવ લઈ લેવામાં આવ્યો છે તેની અદભુત હોય પણ માહિતી સામે આવી નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે લવ મેરેજના કારણે જ પતિ અને પત્નીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આરોપી પકડાયા બાદ જીવ લેવાનું સાચું કારણ જાણવા મળશે. હાલમાં પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "5 મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર પતિ-પત્નીનો જીવ લઈ લેવામાં – જીવ લેવા પાછળનું કારણ શું હોઈ શકે છે?"

Leave a comment

Your email address will not be published.


*