સુરતમાં આવેલ વિજય રૂપાણી એ લોકડાઉન અંગે કર્યો મોટો ખુલાસો , આગામી સમય માં સરકાર નો છે આ પ્લાન…

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સુરતમાં સતત ને સતત વધતા જતા કોરોના કેસના કારણે રાજ્ય સરકાર અત્યારે ચિંતામાં છે. વારંવાર સુરત પર ફોકસ રાખીને તેના પર કાર્ય કરવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે. સુરતમાં વધતા જતા કેસના કારણે રાજ્ય સરકારે અનેક સુવિધા સુરત ને અર્પણ કરેલ છે આ ઉપરાંત વધારે કહેતા કહ્યું કે સરકાર દરરોજ રાતે મિટિંગ કરીને સુરત અંગે આગામી સમયમાં નિર્ણય લેવા વિશે વિચારણા કરી રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ બંને સુરત પહોંચી ને ડોક્ટર ,આરોગ્ય સચિવ, મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે અલગ અલગ બેઠક યોજીને સુરતમાં વધતા જતા કોરોના કેસની સમીક્ષા કરી હતી.

સુરતમાં આવેલ મુખ્યમંત્રીશ્રીએ દરેક લોકોને અપીલ કરતા કહ્યું છે કે રાજ્યની દરેક જનતા ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે.

ડાયમંડ ટેક્સટાઇલ વિભાગ વિશે મુખ્યમંત્રી વધારે જણાવતા કહ્યું અને ડાયમંડ અને ટેક્સટાઇલ કંપની પાસેથી સોશિયલ ડિસ્ટન્સ અંગે જવાબ માગ્યો છે જો સંપૂર્ણ જવાબદાર ડાયમંડ અને ટેક્સટાઇલ વિભાગ હશે તો તે લોકોને સોમવારે રાજ્ય સરકારને જવાબ આપવાનો છે. જો તે લોકો સવાલનો જવાબ આપવામાં નિષ્ફળ રહેશે તો આગામી સમયમાં રાજ્ય સરકાર તે અંગે નિર્ણય લેશે.

વિજય રૂપાણી એ લોકડાઉન અંગે મોટો ખુલાસો કરતા કહ્યું કે આગામી સમયમાં રાજ્ય સરકારે આવો કોઈ નિર્ણય લેવા માટે તૈયાર નથી .

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*