રામદેવપીરની અતૂટ શ્રદ્ધા : આ વ્યક્તિએ રામદેવપીરને 150 કિલો અને 20 કિલો ચાંદીના ઘોડા અર્પણ કર્યા, જાણો આ કાર્ય કરવા પાછળનું કારણ…

Published on: 1:43 pm, Sun, 27 March 22

ભકતો પોતાની માનેલી માનતા પૂર્ણ થતા ખુશીના લીધે ભગવાન કે માતાજીની મોંઘી વસ્તુઓની ભેટ ધરાવતા હોય છે. તમે દાન અને પેટ ભગવાનને ધરાવતા લોકો જોયા હશે. પરંતુ આજે તમને એક એવા ફક્ત વિશે વાત કરીએ કે તેની માનતા પૂર્ણ થતા રામદેવ મહારાજની ચાંદીથી બનેલા બે ઘોડા અર્પણ કર્યા માનતા પૂર્ણ થતા તે ખુબ ખુશ થઈને ભગવાન ને ભેટ કરી.

અને જે ઘોડાનું વજન આશરે 150 કિલો અને બીજા ઘોડાનું આશરે 20 કિલો વજન છે. આ બંને ઘોડાની કિંમત મળીને આશરે એક કરોડની કિંમત થાય છે. ચાંદીના ઘોડાને જોવા માટે લોકો દૂર દૂરથી ઉમટી પડે છે. રાજસ્થાનમાં રામદેવરાથી રણુજા રામદેવપીર મંદિર આવેલું છે.

જ્યાં આ બે ચાંદીના ઘોડાનું અર્પણ કરવામાં આવ્યો આ ઘોડાના દાનવીર એવા મુંબઈના જ્વેલર્સ ઓમ પ્રકાશ ખત્રી છે. જેઓ હાલ મુંબઈ ના વતની છે. તેઓ આ ભેટ ધરીને જણાવ્યું કે અમે મૂળ જાલોર જિલ્લાના ગુડા બાલોતર ગામના રહેવાસી છીએ હાલ મુંબઈમાં જ્વેલર્સ સોના ચાંદીનો બિઝનેસ છે.

તે લોકો રામદેવપીર માં અતૂટ શ્રદ્ધા રાખે છે એમ જણાવ્યું. તેમની ઇચ્છા હતી કે તેઓ રામદેવપીરની સમાધી ઘોડાનો અર્પણ કરે અને એવું પણ કહ્યું કે અમારા પર દાદાને સપનામાં પણ રામદેવપીર આવ્યા હતા તેથી પડદાનો સપનું પણ પૂરું કર્યું.

આ ઘોડાની કિંમત તેમણે જણાવવાનો ઈન્કાર કર્યો પરંતુ કોઈ બીજા જ્વેલર્સ ને પૂછતાં આ ઘોડાની કિંમત લગભગ 90 લાખથી એક કરોડ વચ્ચે છે. આ ઘોડા ત્રણવર્ષ પહેલા બનાવ્યો હતો પરંતુ કોરોના મહામારી ને કારણે અર્પણ કરવામાં ન આવ્યો.

તેથી શનિવારના રોજ રામદેવપીર મા અતૂટ શ્રદ્ધા રાખતા ઓમ પ્રકાશ ખત્રી એ તેમના આખા પરિવારને રામદેવપીર ની સમાધી એ લઈ જઈને ચાંદીના બંને ઘોડા અર્પણ કર્યા, ત્યારે આ ચાંદીના ઘોડાને જોવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી અને ઘોડા સાથે સેલ્ફી લેતા નજરે પડ્યા. લોકો આવી જ શ્રદ્ધાથી ભગવાનને દાન ભેટ કરતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રામદેવપીરની અતૂટ શ્રદ્ધા : આ વ્યક્તિએ રામદેવપીરને 150 કિલો અને 20 કિલો ચાંદીના ઘોડા અર્પણ કર્યા, જાણો આ કાર્ય કરવા પાછળનું કારણ…"

Leave a comment

Your email address will not be published.


*