ભાવનગરમાં એકટીવા લઈને જતા વૃદ્ધ વ્યક્તિનું રખડતા ઢોરના કારણે કરુણ મોત… હસતા-ખેલતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…

Published on: 4:08 pm, Thu, 21 September 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ રખડતા ઢોરના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના ભાવનગરમાંથી સામે આવી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવામાં રખડતા ઢોરના કારણે એક વૃદ્ધ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મહુવાના તલગાજરડા રોડ પર એકટીવા લઈને જતા 67 વર્ષના પ્રદીપભાઈ પરશુરામભાઈ ત્રિવેદીને રસ્તા પર ગાય આડી આવી હતી. જેના કારણે તેઓ રોડ પર પડી ગયા હતા અને આ ઘટનામાં તેમના માથાના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા વૃદ્ધ વ્યક્તિના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર વૃદ્ધ વ્યક્તિના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી પ્રદીપભાઈને સૌપ્રથમ સારવાર માટે મહુવાની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

જ્યાંથી વધુ સારવાર માટે પ્રદીપભાઈ ને સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન પ્રદીપભાઈનું મોત થયું હતું. પ્રદીપભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ ઘટના બનતા જ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. મિત્રો છેલ્લા ઘણા સમયથી ભાવનગર જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે અને અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાવનગરમાં એકટીવા લઈને જતા વૃદ્ધ વ્યક્તિનું રખડતા ઢોરના કારણે કરુણ મોત… હસતા-ખેલતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…"

Leave a comment

Your email address will not be published.


*