પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા કરી રહેલા હરિભક્તોને રહેવા માટે, આ બિલ્ડરે કરોડો રૂપિયાની કિંમતના 765 ફ્લેટ સેવામાં આપ્યા… કરોડો રૂપિયાના માલિક હોવા છતાં પણ તેઓ ગટર ખોદવાનું અને…

Published on: 11:12 am, Tue, 20 December 22

અમદાવાદ શહેરના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. 14 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી દ્વારા પ્રમુખસ્વામી નગરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ 15 જાન્યુઆરી 2023 સુધી ચાલવાનો છે. આ દરમિયાન લાખો હરિભક્તો અહીં મુલાકાત લેશે.

મિત્રો તમને જણાવી દે કે પ્રમુખસ્વામી નગરમાં એન્જિનિયર, CA અને બિઝનેસમેન સહિતના દરેક લોકો પોતાની યથાશક્તિ સેવા કરે છે. ઘણા હરિભક્તો પોતાની લાખો રૂપિયાની કમાણી પડતી મૂકીને છેલ્લા બે-ત્રણ મહિનાથી અહીં સેવા કરી રહ્યા છે. ત્યારે આજે આપણે એક એવા સ્વયંસેવકની વાત કરવાના છીએ જેમના વિશે જાણીને તમે પણ તેમના વખાણ કરતા નહીં થાકો.

આજે આપણે શ્રી સિદ્ધિ ગ્રુપના બિલ્ડર કલ્પેશભાઈ પટેલની વાત કરવાના છીએ. કલ્પેશભાઈ પટેલે હરિભક્તોને રહેવા માટે પોતાના 765 ફ્લેટ સેવામાં આપ્યા છે. આટલા મોટા બિલ્ડર હોવા છતાં પણ કલ્પેશભાઈ પ્રમુખસ્વામી નગરમાં બ્લોક પાથરવા, ગટર ખોદવી અને ચણતર-પ્લાસ્ટિક જેવા કામની સેવા આપી હતી.

બિલ્ડર કમલેશભાઈ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, શરૂઆતમાં સ્વયંસેવકો માટે રહેવાની વ્યવસ્થા કરવા અંગે વાત થઈ ત્યારે અમારી સ્કીમમાં સફાઈ કરીને પ્લેટ આપવાના હતા. હરિભક્તો માટે મેં ખુદ ફ્લેટની સાફ સફાઈ કરી હતી. આ ઉપરાંત કમલેશભાઈ એ જણાવ્યું કે તેઓ ગટરનો ખોદકામ, બ્લોક પાથરવાનું કામ અને ચણતર જેવા કામ દિવસમાં આઠથી દસ કલાક કરતા હતા.

વધુમાં કલ્પેશભાઈ એ જણાવ્યું કે મેં મારા શ્રી સિદ્ધિ ગ્રુપમાંથી બહારથી આવેલા હરિભક્તોના રહેવા માટે ગત ફેબ્રુઆરી મહિનામાં 165 અને અત્યારે 600 એમ કુલ કરીને 765 ફ્લેટ સેવામાં આપ્યા છે. તમને જણાવી દે કે કલ્પેશભાઈ તો પ્રમુખસ્વામી નગરમાં સેવા આપી રહ્યા છે પરંતુ તેમના ભાઈના ઘરના પણ ત્રણ સભ્યો, તેમના બંને દીકરાઓ તેમની વહુ, તેમની ધર્મ પત્ની પ્રમુખ સ્વામી નગરમાં સેવા કરી રહ્યા છે.

કલ્પેશભાઈ એ જણાવ્યું કે જ્યારે અમને સંતો અને સ્વયંસેવકો અહીં સેવા માટે બોલાવ્યા ત્યારે અમે કોઈપણ દિવસ સેવા કરવાની ના પાડી નથી. જ્યારે પણ બોલાવ્યા ત્યારે અમે કઠિનમાં કઠિન સેવા કરતા હતા. કરોડો રૂપિયાના માલિક અને એટલા મોટા બિલ્ડર હોવા છતાં પણ તેઓ અહીં ગટર ખોદવાનું કામ કરતા હતા. કલ્પેશભાઈ એ જણાવ્યું કે અમે BAPS સંસ્થા માટે કંઈ પણ કરી શકીએ છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા કરી રહેલા હરિભક્તોને રહેવા માટે, આ બિલ્ડરે કરોડો રૂપિયાની કિંમતના 765 ફ્લેટ સેવામાં આપ્યા… કરોડો રૂપિયાના માલિક હોવા છતાં પણ તેઓ ગટર ખોદવાનું અને…"

Leave a comment

Your email address will not be published.


*