આ યુવકે તળાવમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, યુવકના મૃત્યુના કારણે પરિવારનો આર્થિક સહારો છીનવાઈ ગયો – જાણો યુવકે આ પગલું શા માટે ભર્યું…

Published on: 12:09 pm, Sun, 24 April 22

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે ઘટના સામે આવી છે. એક યુવકે તળાવમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફડા-તફડી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર અંજારમાં એક યુવક અચાનક ઘરેથી ગુમ થઈ ગયો હતો.

પરિવારજનોએ યુવકની શોધખોળ શરૂ કરી દીધી હતી. શોધખોળ દરમિયાન સવાસર તળાવ પાસેથી યુવકની બાઇક મળી આવી હતી. ત્યારે તળાવની આજુબાજુ થોડી તપાસ કરવામાં આવી ત્યારે યુવકનું મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ વિરેન્દ્રસિંહ હતું અને તેની ઉમર 35 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો વિરેન્દ્રસિંહ જમીન લે-વેચનો વ્યવસાય કરતો હતો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

મળતી માહિતી અનુસાર વિરેન્દ્રસિંહ મૃત્યુના કારણે પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યો હતો. હાલમાં ચાલી રહેલી મંદીના કારણે વિરેન્દ્રસિંહ ના ધંધામાં મંદી ચાલી રહી હતી. તેથી પરિવારમાં પૈસાની ખૂબ જ અછત થવા લાગી હતી. જેને લઇને વિરેન્દ્રસિંહ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ચિંતામાં રહેતો હતો.

ત્યારે 12 વાગ્યાની આસપાસ વિરેન્દ્રસિંહ તળાવમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર રાત થઈ ગઈ છતાં પણ વિરેન્દ્રસિંહ ઘરે આવ્યો નહિ તેથી પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. એટલું જ નહીં પરંતુ વિરેન્દ્રસિંહનો ફોન બંધ આવતો હતો.

આખરે વિરેન્દ્રસિંહ મૃતદેહ તળાવમાંથી મળી આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વિરેન્દ્રસિંહ મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યું છે. આ સફળતાના કારણે વિરેન્દ્રસિંહ પોતાનું જીવન ટુંકાવ્યું હાલમાં તેઓ સામે આવી રહ્યું છે. પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ યુવકે તળાવમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, યુવકના મૃત્યુના કારણે પરિવારનો આર્થિક સહારો છીનવાઈ ગયો – જાણો યુવકે આ પગલું શા માટે ભર્યું…"

Leave a comment

Your email address will not be published.


*