ખેડૂત આંદોલન મુદ્દે મોદી સરકારના આ દિગ્ગજ મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન, તેઓએ કહ્યુ તો હું રાજીનામું આપી દઈશ.

કેન્દ્રીય મંત્રી અને ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના સાંસદ સજીવ બાલીયાન વિપક્ષ ની આડેહાથ લેતા એક મોટું નિવેદન આપ્યું છે અને તેઓએ કહ્યું કે ખેડૂતોને ખાતરી આપી હતી કે જો જમીન તેમની પાસેથી છીનવી લેવામાં આવે તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે.

મુઝફ્ફરનગરમાં હિન્દુ મઝદૂર કિસાન સંગઠનમાં દ્વારા આયોજિત કિસાન મજદૂર સંમેલનમાં બાલીયાને કહ્યુ કે જો નવા કૃષિ કાયદાને કારણે કોઈ પણ ખેડૂતની જમીનનો ટુકડો ઉદ્યોગપતિના હાથમાં જાય તો તે પહેલાં પોતાનું પદ છોડશે.

વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યો છે કે નવા કૃષિ કાયદાને કારણે ખેડૂતોની તેમની જમીન ગુમાવવી પડશે અને સજીવ બાલીયાનનું તાજેતરનું પણ આ સંદર્ભમાં જોવા મળી રહ્યું છે.બાલિયનના કહેવા મુજબ આ અંગે મૂંઝવણ ફેલાવવા.

ખેડૂત નેતાઓ અને વિરોધી પક્ષો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સંજીવ બાલીયનના જણાવ્યા મુજબ તેઓ ગામડે ગામડે ફરતા હોય છે અને ખેડૂતોને કૃષિ કાયદાઓ વિશે માહિતગાર કરે છે.

જેથી નવા કાયદા અંગેની મૂંઝવણ દૂર થાય.સંજીવે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે,ખેડૂતોને લગતા વાસ્તવિક મુદ્દા ઉપર ચર્ચા થવી જોઈએ.

તેમને સ્પષ્ટ કહ્યુ હતુ કે તેઓ શેરડીના ભાવ અને વીજળીના ભાવમાં ઘટાડો કરવાના પક્ષમાં છે અને સમયાંતરે સરકારને ખેડૂતોની સમસ્યાથી વાકેફ રાખે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*