મુખ્યમંત્રી વિજય રૂપાણી ના આ દિગ્ગજ મંત્રીએ આમ આદમી પાર્ટી ના કર્યા વખાણ , કહ્યુ કે…

Published on: 10:13 am, Tue, 9 March 21

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીએ શાનદાર દેખાવ કર્યો છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર એ ચૂંટણી ચૂંટાતા જ લોકોના કામ કરવાનું શરૂ કર્યું છે. ઉમરગામમાં અભિવાદન સમારોહ વિજય રૂપાણી સરકારના વન મંત્રી રમણ પાટકર એ આમ આદમી પાર્ટીની કાર્યશૈલીના ભરપૂર વખાણ કર્યા હતા.

રમણ પાટકર એ ભાજપના કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાંથી શીખવાની સલાહ આપી હતી અને તેઓએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી કાર્યશૈલીના વખાણ કરી કાર્યકરોને લોકોને કામ કરવા માટે સક્રિય રહેવા હાકલ કરી હતી.

સુરત આપ એ સારો દેખાવ કર્યો છે.આપ ના કોર્પોરેટરો સોસાયટીમાં લાઉડ સ્પીકર લઇને ફરી રહ્યા છે અને લોકોના પ્રશ્નોનો ઉકેલ કરી રહ્યા છે.

લોકોને મળતી પ્રાથમિક સુવિધાથી આપના કોર્પોરેટરો શહેરીજનોને જાગૃત કરી રહ્યા છે.ત્યારે મંત્રી રમણ પાટકર એ કહ્યું કે ભાજપના કાર્યકરોએ આપના કાર્યકરો પાસેથી શીખવાની જરૂર છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને જબ્બર સમર્થન સાંપડયું છે અને અત્યારે ચારેબાજુ ભાજપ ભાજપ થઈ રહ્યું છે પણ ભાજપ કાર્યકરોએ લોકોના કામ કરવા પર ધ્યાન આપવું જોઈએ એવી શીખામણ તેમણે આપી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મુખ્યમંત્રી વિજય રૂપાણી ના આ દિગ્ગજ મંત્રીએ આમ આદમી પાર્ટી ના કર્યા વખાણ , કહ્યુ કે…"

Leave a comment

Your email address will not be published.


*