આ બહેને સંતાન માટે કબરાઉમાં બેઠેલી માં મોગલની માનતા માની… પછી તો માં મોગલના આશીર્વાદથી બહેનના 11 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો…

Published on: 11:56 am, Thu, 23 November 23

મિત્રો માં મોગલના તો પરચા અપરંપાર છે. માં મોગલે અત્યાર સુધીમાં લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે અને લાખો ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરી છે. આટલા જ માટે માં મોગલને અઢારે વરણની માતા કહેવામાં આવે છે.

માં મોગલના ભક્તો માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જોવા મળે છે. મિત્રો કહેવાય છે કે, માં મોગલે નિ:સંતાન દંપતીના ઘરે 50 વર્ષે પણ દીકરા દીધા છે. ત્યારે આજે આપણે તેવા જ એક પરચા વિશે વાત કરવાના છીએ.

વાત કરીએ તો એકદમ તેના લગ્નના 11 વર્ષ સુધી ગયા છતાં પણ તેમના ઘરે પારણું બંધાયું ન હતું. 11 વર્ષમાં દંપતીએ ઘણી બધી જગ્યાએ બતાવ્યું પરંતુ કોઈ પણ ઉલેક આવ્યો નહીં. પછી આ દંપતીએ માં મોગલને યાદ કરી હતી અને માતાજી પર શ્રદ્ધા રાખીને તેમની માનતા માની હતી.

પછી તો લગ્નના 11 વર્ષ બાદ માં મોગલની કૃપાથી આ યુવતીના ઘરે પારણું બંધાયું હતું અને તેના ઘરે દીકરાનો જન્મ થયો હતો. ઘરે દીકરાનો જન્મ થતા જ પરિવારમાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો હતો. પછી દંપતી પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ પહોંચ્યા હતા.

પછી અહીં તેમને મણીધર બાપુના આશીર્વાદ લીધા હતા. ત્યારે મણીધર બાપુએ યુવતી ને આશીર્વાદ આપતા કહ્યું કે, માં મોગલ પર વિશ્વાસ રાખ્યો હશે એટલે તમારી માનતા અને મનોકામના પૂર્ણ થઇ હશે. આ કોઈ ચમત્કાર નથી.

યુવતીએ માનતા રાખી હતી કે તેના ઘરે પારણું બંધાય એટલે તે માતાજીને ચાંદીનું છત્ર ચડાવશે. જ્યારે યુવતીએ ચાંદીનું છત્ર મણીધર બાપુને આપ્યું ત્યારે બાપુએ તે છત્ર દીકરીને પાછું આપી દીધું હતું અને તેને કહ્યું હતું કે આ તારી કુળદેવીને ચડાવી દેજે એટલે માં મોગલ રાજી રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "આ બહેને સંતાન માટે કબરાઉમાં બેઠેલી માં મોગલની માનતા માની… પછી તો માં મોગલના આશીર્વાદથી બહેનના 11 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો…"

Leave a comment

Your email address will not be published.


*