સુરતમાં કોરોના બેકાબૂ બનતા લારી તેમજ પાન માવા ના ગલ્લા ને લઈને મહાનગરપાલિકાએ આપ્યો આ આદેશ, જાણો.

Published on: 11:50 am, Fri, 9 April 21

સુરત શહેરમાં કોરોના ની પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગઈકાલે મોતનો આંકડો 35 પર પહોંચ્યો છે તો સાથે કોરોનાની કેસની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળ્યો છે.

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોના ના 4021 કેસ નોંધાયા છે અને 2197 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,07,346 દર્દીઓ કોરોના મુક્ત થયા છે તો આજે 35 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.

સુરતમાં બેકાબુ કોરોના બની રહ્યો છે ત્યારે તેની તકેદારી રૂપે લારી-ગલ્લા અને સાત દિવસ માટે બંધ રાખવાના મહાનગરપાલિકા દ્વારા મૌખિક આદેશ આપવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના મૌખિક આદેશ કે લેખિક માન્ય ગણવામાં આવ્યો છે.

સુરત શહેરમાં જે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને વધારે પ્રમાણ માં કેસો આવી રહ્યા છે ત્યારે લારી તેમજ ગલ્લા બંધ કરવાનો મહાનગરપાલિકા દ્વારા આદેશ છૂટ્યો છે.

મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે અને લોકોના ટોળા લારી-ગલ્લા પર એકઠા નો થાય તેના કારણે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

ગઇકાલના સુરતના આંકડાઓ સામે આવતા આરોગ્ય વિભાગની વ્યવસ્થા ઉપર સવાર થઈ રહ્યા છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં કોરોના બેકાબૂ બનતા લારી તેમજ પાન માવા ના ગલ્લા ને લઈને મહાનગરપાલિકાએ આપ્યો આ આદેશ, જાણો."

Leave a comment

Your email address will not be published.


*