કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો ને રાજી કરવા લીધા આ મહત્વના નિર્ણયો

Published on: 10:33 am, Fri, 30 October 20

આવતીકાલે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ અને CCEA ની બેઠકમાં મહત્વપૂર્ણ ત્રણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણયો માંથી ખેડૂતો માટે બે નિર્ણયો દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. સરકારે ખેડૂતોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણય લેતી વખતે હાથમાં પર ભારત અભિયાનને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.કેન્દ્રીય મંત્રીમંડળે ગુરૂવારના ડેમ પુનર્વસન અને સુધાર પરિયોજનાના બીજા તેમજ ત્રીજા તબક્કાને મંજૂરી આપવામાં આવી છે.

આ પરિયોજના અંતર્ગત દેશભરમાં પસંદ કરવામાં આવેલ 736 ડેમની સુરક્ષા અને સંચાલન એ વધુ સારું બનાવવા માટે 10,211 કરોડ રૂપિયાનું બેજટ રાખ્યું છે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત આ મહત્વની જાણકારી આપી છે. આ પરિયોજના એપ્રિલ 2021 થી માર્ચ 2031 સુધી લાગુ કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી દ્વારા બીજો અને મહત્વનો શણ ઉદ્યોગ ની મદદ માટે સરકારે ખાધાનોના 100 ટકા પેકિંગ.

અને ખાંડની 20 ટકા બોરીઓનું પેકિંગ કરવાનું અનિવાર્ય કરી દીધું છે.પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની ગુરુવારની થયેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડ ક્રાસ્તિંગ મિનિસ્ટર પ્રકાશ જાવેડકરે આ મહત્વની જાણકારી આપી હતી.મંત્રીમંડળ એ અનિવાર્ય પેકેજીંગ આદેશનું વિસ્તરણ કરવાનો.

મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.આ નિર્ણય હજારો ખેડૂતોની સાથે સાથે શણ ઉદ્યોગ માં લાગેલા લગભગ 4 લાખ શ્રમિકોને મોટાપાયે લાભ થશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે એથેનોલ ની કિંમતમાં 5 થી 8 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ઇથેનોલ ની કિંમત 62.65 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવી છે.

જે પહેલા 59.48 રૂપિયા પ્રતિ લીટર હતી. B ઇથેનોલ કિંમત 57.61 રૂપિયા કરી દેવામાં આવી છે જે પહેલા 54.27 રૂપિયા પ્રતિ લીટર હતી. આ ઉપરાંત પહેલા 43.75 રૂપિયા પ્રતિ લીટર વેચનારી C હેવી ઇથેનોલ કિંમત .

45.69 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવી છે અને આનાથી સુગર મિલોને હાથમાં વધારે પૈસા આવશે અને તેઓ ખેડૂતોને ચુકવણી કરી શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો ને રાજી કરવા લીધા આ મહત્વના નિર્ણયો"

Leave a comment

Your email address will not be published.


*