સુરત તરફ આવતી કારને રૂવાડા ઉભા કરી દેનારો અકસ્માત નડ્યો, બે ટ્રક વચ્ચે ઘુસેલી કારનું પડીકું વળી ગયું… પતરું કાપીને બે લોકોના મૃતદેહને બહાર કાઢ્યા…

Published on: 6:51 pm, Mon, 20 February 23

અંકલેશ્વરની વાલીયા ચોકડી ઓવરબ્રિજ પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ગંભીર અકસ્માતની ઘટનામાં બે ટ્રક વચ્ચે એક કાર ફસાઈ જતા કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે નજરે જોનાર લોકોની ચીસો નીકળી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. ક્રેનની મદદથી કારમાં ફસાયેલા લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે.

અકસ્માતની ઘટનામાં કેટલા લોકોના મૃત્યુ થયા છે. તેની હજુ કોઈ પણ પુષ્ટિ થઈ નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે બે લોકોના મૃત્યુ થયા છે. આ ગંભીર અકસ્માતની ઘટના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર આજરોજ બપોરના સમયે બની હતી. મળતી માહિતી અનુસાર અમદાવાદથી સુરત તરફ જઈ રહેલી કાર અંકલેશ્વરથી વાલિયા ચોકડી નજીકથી પસાર થઈ રહી હતી.

આ દરમિયાન કાર બે ટ્રક વચ્ચે ફસાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના નજરે જોનાર લોકો વિચલિત થઈ ગયા હતા. માથી માહિતી અનુસાર આગળ ચાલતા ટ્રક ચાલકે અચાનક જ બે કલાક લગાવી હતી. જેના કારણે કાર ચાલકે પણ પોતાની કાર પર બ્રેક લગાવી હતી. આ દરમિયાન પાછળથી ટાઇલ્સ ભરેલા ટ્રકે કારને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે બંને ટ્રક વચ્ચે કાર ફસાઈ ગઈ હતી.

અકસ્માતની ઘટના બની ત્યારે કારમાં માત્ર એક જ વ્યક્તિનો હાથ દેખાતો હતો. આરમાં અન્ય કેટલા લોકો સવાર હતા તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. અકસ્માતની ઘટના બન્યા બાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કારમાંથી ખેંચી ખેંચીને બે વ્યક્તિઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે કારમાં સવાર લોકો અમદાવાદથી સુરત તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બાદ હાઈવે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. અકસ્માતનો ભોગ બનેલી કાર અમદાવાદનું પાર્સિંગ હતી અને તે સુરત તરફ જઈ રહી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરત તરફ આવતી કારને રૂવાડા ઉભા કરી દેનારો અકસ્માત નડ્યો, બે ટ્રક વચ્ચે ઘુસેલી કારનું પડીકું વળી ગયું… પતરું કાપીને બે લોકોના મૃતદેહને બહાર કાઢ્યા…"

Leave a comment

Your email address will not be published.


*