કોરોના બાદ દુનિયામાં બીજી એક મોટી આફત આવવાની તૈયારી, સંયુક્ત રાષ્ટ્રએ આપી ચેતવણી

હાલના સમયમાં આખી દુનિયા કોરોના મહામારીથી લોકો ત્રાસી ગયા છે .હજી સુધી કોઈ વેક્સિન શોધાઇ નથી. દુનિયાના મોટામાં મોટા વૈજ્ઞાનિક રિસર્ચ માં લાગ્યા છે . ત્યારે આ બધાની વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર કોરોનાવાયરસ ના ગયા બાદ દુનિયામાં બીજી મોટી આફત આવવાની વાત કહી છે . સંયુક્ત રાષ્ટ્ર કહ્યું કે દુનિયામાં કોરોના બાદ કરોડો લોકો ભૂખમરાની જપેટ માં આવી શકે છે.

આ ગંભીર આકલન દુનિયામાં ખાધ સુરક્ષા તથા પોષણની સ્થિતિ ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ હાલના એક રિપોર્ટમાં બહાર આવ્યું છે.આને તૈયાર કરનારી યુએ ની પાંચ એજન્સી તરફથી આ વાર્ષિક રિપોર્ટ ને સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર હાલમાં ઉપલબ્ધ વર્લ્ડ ના આર્થિક પરિસ્થિતિ પર આધારિત આ પ્રારંભિક અનુમાન બતાવે છે કે મહામારીમાં કારણ વર્ષ 2020 માં કુપોષણના રેન્કિંગમાં 8.3 કરોડ થી 13.2 કરોડ વધારાના લોકો જોડાઈ શકે છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*