રાજ્ય સરકાર શિક્ષકોને આપશે મોટી ભેટ, શિક્ષકોને થશે આ મોટો ફાયદો

રાજ્યમાં ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે રાજ્ય સરકારે સારા સમાચાર આપ્યા છે. શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે ત્રીપલ સી કે ત્રીપલ સી પ્લસ પાસ કરનારને પગારનો લાભ આપવામાં આવશે.

સરકારની આ જાહેરાત નો લાભ 1-7-2016 થી 31-12-2020 દરમિયાન ત્રીપલ સી કે ત્રીપલ સી પ્લસ પાસ કરનારને સારો એવો લાભ મળશે. જયારે 31-12-2020 પછી જેને ત્રીપલ સી કે ત્રીપલ સી પ્લસ કોમ્પ્યુટર કૌશલ્યની કસોટી પાસ કરી હશે તો તેને સમય પ્રમાણે લાભ અપાશે. બિન શૈક્ષણિક સ્ટાફને પણ ઉચ્ચ પ્રકારનો લાભ આપવામાં આવશે.

શિક્ષકોકે બિનશૈક્ષણિક કર્મચારીઓ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા 31-12-2020 પછી પાસ કરશે તો જે તારીખે પાસ કરશે તે તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*