બહેને પોતાની ભાઈની બીમારી દૂર થઈ જાય એટલે માં મોગલની માનતા માની… પછી એવો ચમત્કાર થયો કે ભાઈ થોડાક દિવસમાં દોડતો થઈ ગયો…

Published on: 11:36 am, Tue, 5 December 23

મિત્રો તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત કબરાઉમાં બેઠેલી માં મોગલના પરચા વિશે સાંભળ્યું હશે. અત્યાર સુધીમાં તો માતાજી મોગલે લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. કહેવાય છે કે માં મોગલના દર્શન માત્રથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે.

આટલા જ માટે લોકો દેશ-વિદેશથી પણ પોતાની માનેલી માનતા પૂરી કરવા કબરાઉ ધામ આવતા હોય છે. ત્યારે આજે આપણે માં મોગલના વધુ એક પરચા વિશે વાત કરવાના છીએ.

આ કિસ્સામાં માં મોગલે એક દીકરીને પોતાના પરચા બતાવ્યા હતા. જેથી દીકરીની માનતા પૂરી થઈ હતી અને દીકરી માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવી પહોંચી હતી. અહીં દીકરીએ માતાજીના આશીર્વાદ લીધા હતા અને પછી અહીં બિરાજમાન મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા. ક્યારે મણીધર બાપુએ દીકરીને પૂછ્યું કે બેટા તારે શેની માનતા હતી..?

ત્યારે દીકરીએ જણાવ્યું કે, તેના ભાઈની તબિયત બગડી ગઈ હતી અને તે છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતો હતો. ઘણી બધી હોસ્પિટલમાં દવા કરાવી પરંતુ તેના ભાઈની તબિયતમાં સુધારો થતો ન હતો. એટલે છેવટે માં મોગલ પર શ્રદ્ધા રાખીને તેને માનતા માની હતી.

પછી માં મોગલના આશીર્વાદ થી ભાઈની તબિયત એકદમ સારી થઈ ગઈ. ત્યારબાદ દીકરી પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે 50000 રૂપિયા લઈને કબરાઉ ધામ પહોંચી આવી હતી.

પછી મણીધર બાપુએ દીકરી પાસેથી 50,000 લઈ લીધા હતા અને તેમાં એક રૂપિયો ઉમેરી દીધો હતો. અને પછી તે પૈસા દીકરીને પાછા આપી દીધા હતા અને તેને કહ્યું હતું કે આ પૈસા તારી દીકરીને આપી દેજે માં મોગલ રાજી રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "બહેને પોતાની ભાઈની બીમારી દૂર થઈ જાય એટલે માં મોગલની માનતા માની… પછી એવો ચમત્કાર થયો કે ભાઈ થોડાક દિવસમાં દોડતો થઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*