રાજ્યમાં લાદવામાં આવેલા કડક પ્રતિબંધો આગળ લંબાવવાની શક્યતા, જાણો વધુ કેટલા દિવસ રહી શકે છે બધું બંધ.

Published on: 9:16 am, Fri, 30 April 21

જો રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની પોઝિટિવિટી રેટ ના ઘટ્યો તો રાજ્યમાં સરકારે લાદેલા નિયંત્રણો વધુ એક અઠવાડિયું લંબાવાઈ તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. હોસ્પિટલમાં ઓક્સિજન વાળા બેડનો રેશિયોના ઘટયો તો રાજ્યમાં લાદવામાં આવેલ નિયંત્રણ વધુ એક અઠવાડિયું લંબાય તેવી શક્યતાઓ છે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ 14 દિવસ સુધી નિયંત્રણો લાગુ કરવા જરૂરી છે ત્યારે હાલ રાજ્ય સરકારે જાહેર કરેલા નિર્ણય અને નિયત્રંણ એક અઠવાડિયું લંબાઈ શકે છે.

રાત્રી કરફ્યુ વાળા 29 શહેરોમાં પણ નિયંત્રણ વધુ એક અઠવાડિયું લંબાઈ શકે છે. રાજ્ય સરકારે હાલ 5 મે સુધી આવશ્યક જરૂરિયાતની ચિજવસ્તુ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે.

ત્યારે કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ આ નિર્ણય વધુ એક અઠવાડિયું લંબાય તેવી શક્યતાઓ છે.નોંધનીય છે કે ગઈકાલે ગુજરાત રાજ્ય 14327 નવા કેસ નોંધાયા છે.

રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. છેલ્લા ચાર દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણ થી વધુ 180 લોકોના મૃત્યુ થયા છે અને તેની સાથે કુલ મૃત્યુઆંક 7010 પર પહોંચી ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં લાદવામાં આવેલા કડક પ્રતિબંધો આગળ લંબાવવાની શક્યતા, જાણો વધુ કેટલા દિવસ રહી શકે છે બધું બંધ."

Leave a comment

Your email address will not be published.


*