સાવધાન ગુજરાત! આજે રાતે 11 વાગ્યાથી જ અમલી બનશે આ નવો નિયમ

Published on: 1:57 pm, Sat, 25 December 21

ગુજરાતમાં મહાનગર પાલિકાના વિસ્તારોમાં પ્રતિબંધો કડક બનાવવામાં આવ્યા છે.નાઈટ કરફ્યુ નો સમય રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરી નાખવામાં આવ્યો છે.આ પહેલા ની માર્ગદર્શિકા નાઈટ કરફ્યુનો સમય 1 થી 5 હતો.જેમાં વધારો કરવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારના ગૃહવિભાગે 8 મહાનગરોમાં રાત્રી કરફ્યુ અને નિયત્રંણ નો અમલમાં મુક્યા છે.આ અમલ 10 ડિસેમ્બર અને 20 ડિસેમ્બર માર્ગદર્શિકા જેમ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવેલ છે.

25 ડિસેમ્બર 2021 થી અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરા, જુનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર શહેરમાં દરરોજ રાત્રીના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં રહેશે.

આ સમયગાળા દરમિયાન કોરોના ની કામગીરી સાથે સંકળાયેલા સેવા તેમજ આવશ્યક સેવા સાથે સંકળાયેલી સેવા ચાલુ રહેશે. મેડિકલ અને પેરામેડિકલ તથા અનૂસંગિક આરોગ્યલક્ષી સેવા શરૂ રહેશે. ડેરી, દૂધ શાકભાજી, ફળફળાદી, વિતરણ અને વેચાણ તથા હોમ ડિલિવરી શરૂ રહેશે.

આરોગ્ય સચિવ એ કહ્યું કે કોરોનાવાયરસ ની કેસની સંખ્યા સરકાર માટે માથાનો દુખાવો બની રહે છે. ઘણા રાજ્યોમાં નાઈટ કર્ફ્યું લાદવામાં આવનાર છે. સામાન્ય જનતા પોતાના ધૂન માં જોવા મળી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સાવધાન ગુજરાત! આજે રાતે 11 વાગ્યાથી જ અમલી બનશે આ નવો નિયમ"

Leave a comment

Your email address will not be published.


*