રાજ્ય સરકારે શાળા કોલેજ ચાલુ કરવા અંગે લીધો મહત્વપૂર્ણ નિર્ણય,જાણો સંપૂર્ણ વિગતે

કેન્દ્ર સરકારે 1 સપ્ટેમ્બરથી અનલૉક – 4 અંગે ગાઈડ લાઇન બહાર પાડી. તેના સપ્ટેમ્બરમાં રાજ્ય સરકારે મંગળવારના રોજ ગાઈડ લાઈન બહાર પાડી હતી. આગામી 30 સપ્ટેમ્બર સુધી શાળા-કોલેજ અને કોચિંગ સેન્ટર બંધ રાખવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

શાળા-કોલેજ ઓનલાઇન અને ડિસ્ટન્સ લર્નિંગ કામગીરી ચાલુ રાખી શકાશે. આ માટે પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્ટાન્ડર્ડ પોસીજર જાહેરાત કરવામાં આવશે. આ વસ્તુનો ચુસ્ત પાલન કરવું એ દરેક લોકો માટે ફરજીયાત રહેશે.

કોલેજમાં 50 ટકા સ્ટાફ ને બોલાવી શકાશે અને ઓનલાઇન કામગીરી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. તેમની પાસેથી ટેલી કાઉન્સલીંગ ની કામગીરી ચાલુ કરવામાં આવશે.

કન્ટેન્મેન્ટ ઝોન માં રહેતા વિદ્યાર્થીઓએ વાલીની લેખિત મંજૂરી લઈને શાળા એ માર્ગદર્શન માટે જઈ શકશે. આ નિયમનો અમલ 21 સપ્ટેમ્બરના રોજ થી થશે. ધોરણ 9 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે સ્કુલે જઈ શકશે. આ અંગે સપ્ટેમ્બર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસર ની જાહેરાત કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓને ઈચ્છા હોય તે સ્વૈચ્છિક ધોરણે જઈ શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*