કબરાઉમાં બેઠેલી માં મોગલના પરચા તો અપરંપાર છે. જો કોઈ પણ લોકો સાચા મનથી માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખે છે તો માં મોગલ તેની બધી મનોકામના પૂર્ણ કરે છે. અત્યાર સુધીમાં માં મોગલે લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે.
તેથી વિદેશમાંથી પણ લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે માં મોગલના ચરણમાં આવે છે. ત્યારે આજે આપણે માં મોગલના વધુ એક પરચા વિશે વાત કરવાના છીએ. મળતી માહિતી અનુસાર બોટાદ જિલ્લામાં આવેલા ખસ ગામમાં રહેતા એક વ્યક્તિને કિડનીની બીમારી હતી.
જેથી વ્યક્તિની પત્નીએ માં મોગલની માનતા માની હતી. પત્નીએ માં મોગલ અને પ્રાર્થના કરી હતી કે તેના પતિના રિપોર્ટ સારા આવશે તો તે કબરાઉ માતાજીના દર્શન કરવા માટે આવશે. પછી તેના પતિના રિપોર્ટ કરવામાં આવ્યા ત્યારે માં મોગલની દયાથી રિપોર્ટ ખૂબ જ સારા આવ્યા.
પછી મહિલા પોતાની માનતા પૂર્ણ કરવા માટે પોતાના પતિ સાથે કબરાઉ ધામ પહોંચી હતી. અહીં પતિ-પત્નીએ માં મોગલ ના આશીર્વાદ લીધા હતા અને પછી અહીં બિરાજમાન મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા.
પછી મહિલાએ માનતાના 5000 રૂપિયા મણીધર બાપુને આપ્યા ત્યારે મણીધર બાપુએ તેમાં એક રૂપિયો ઉમેરીને તે પૈસા મહિલા ને પાછા આપી દીધા હતા. પછી મણીધર બાપુએ મહિલાને કહ્યું કે માતાજી તો ખાલી ભાવની ભૂખી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment on "માં મોગલના તો પરચા અપરંપાર છે…! પતિ બીમાર હતો એટલે પત્નીએ માની માં મોગલની માનતા અને પછી એવો ચમત્કાર થયો કે…. જુઓ વિડિયો…"