અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, જાણો વિગતે

Published on: 9:52 am, Tue, 25 August 20

મુખ્ય સચિવ અંશુ પ્રકાશ ઉપર હુમલો કરવાના કેસમાં દેશના પાટનગર દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના 9 ધારાસભ્યોને હાઈ કોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.

દિલ્હી હાઈકોર્ટે આજે નીચલી અદાલતને આ કેસમાં આરોપો ઘડવા અંગે ચર્ચા કરવા જણાવ્યું છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને અન્ય ધારાસભ્યો આ કેસમાં આરોપી છે.

તત્કાલીન મુખ્ય સચિવ અંશુ પ્રકાશની અરજીની સુનાવણી કરતાં દિલ્હી હાઈકોર્ટે આ આદેશ નીચલી અદાલતને આપ્યો હતો. હકીકતમાં, 14 માર્ચ 2019 ના રોજ ખુદ દિલ્હી હાઈકોર્ટે આરોપ પરની ચર્ચા પર રોક લગાવી હતી. હાઈકોર્ટે આજે આ હુકમમાં ફેરફાર કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*