રાજકોટમાં ગજબ ના લગ્ન..! મુરહત અને ચોઘડિયા જોયા વગર જ સ્મશાનમાં દુલ્હા દુલ્હન કરશે લગ્ન, જાણો આવું કેમ…

Published on: 4:40 pm, Mon, 15 April 24

લગ્ન એ દરેક વ્યક્તિના જીવનમાં સૌથી મોટો અને ખાસ અવસર છે અને ઘણા લોકો પોતાના લગ્નને લઈને એટલા બધા ઉત્સુક હોય છે કે તેઓ તેમના આ ખાસ દિવસને યાદગાર બનાવવાના અનોખા પ્રયાસ કરતા હોય છે.

ઘણા મહિનાઓને વર્ષથી લગ્નની તૈયારીઓ કરતા હોય છે ને કેટલાક તેમના લગ્નમાં ખાસ સેલિબ્રિટીઓને બોલાવે છે અને અલગ અલગ કોન્સેપ્ટથી લગ્ન કરતા હોય છે.રાજકોટ શહેરના રામોદ ગામે જે લગ્ન યોજવાના છે તે ખૂબ જ અલગ છે

અને ચર્ચાનો વિષય પણ છે કારણ કે અહીં લગ્ન સમસાનમાં યોજાશે. રામોદ ગામની પાયલ રાઠોડ ના લગ્ન જયેશ સરવૈયા સાથે થવાના છે ને જાન ને ઉતારો સમશાનમાં આપવાનો છે અને બુધવારે એટલે કે રામનવમીના દિવસે પાયલની જાન આવશે

આ સમશાનમાં અને લગ્નમુરત અને ચોઘડિયા જોયા વિના જ થશે તેમ જ ઊંધા ફેરા દુલ્હા દુલ્હન ફેર છે.દુલ્હન કાળા વસ્ત્રો ધારણ કરી વરરાજાનું સ્વાગત કરશે આ ઉપરાંત વર વધુ મંડપમાં સપ્તાહ પદીના બદલે બંધારણના સોગન લેશે

આ મામલે યુવતીના પરિવારે જણાવ્યું કે માન્યતાઓનું ખંડન કરવાનો પ્રયાસ અંતર્ગત સમશાનમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને સમાજમાં રહેલા કોરિવાજોને દૂર કરવાનો અમારો પ્રયાસ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "રાજકોટમાં ગજબ ના લગ્ન..! મુરહત અને ચોઘડિયા જોયા વગર જ સ્મશાનમાં દુલ્હા દુલ્હન કરશે લગ્ન, જાણો આવું કેમ…"

Leave a comment

Your email address will not be published.


*