ભાવનગરમાં ગુમ થયેલા 5 વર્ષના માસુમ બાળકોનું મૃતદેહ એવી હાલતમાં મળી આવ્યું કે… હિમ્મત હોય તો જ આગળ વાંચજો…

Published on: 12:00 pm, Fri, 29 September 23

ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ભાવનગરમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજાના અલંગ નજીક આવેલ મણાર ગામે પાવલીયા નામે ઓળખાતી વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરિવારનો પાંચ વર્ષના દીકરાનું કોઈ અજાણ્યા વ્યક્તિએ અપહરણ કર્યાની અલંગ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.

જાણવા મળી રહ્યું છે કે, પાંચ વર્ષનો બાળક સવારે સ્કૂલે ગયા બાદ અચાનક જ લાપતા થઈ ગયો હતો. પછી પરિવારના સભ્યોએ તેની શોધખોળ કરી પરંતુ તેની કોઈ પણ પ્રકારની જાણ થઈ નહીં. એટલે પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સમી સાંજે ગુમ થયેલા માસુમ બાળકોનું મૃતદેહ એવી હાલતમાં મળ્યું કે જોઈને પોલીસના પણ રુવાડા બેઠા થઈ ગયા હતા.

જાણવા મળી રહ્યું છે કે બાળકનું મૃતદેહ તળાવમાંથી ટુકડા કરેલી હાલતમાં મળી આવ્યું હતું. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. વિગતવાર વાત કરીએ તો મનસુખભાઈ નારાયણભાઈ મકવાણા નામના વ્યક્તિને ત્રણ સંતાન છે. ત્રણેય સંતાન એક સાથે ઘરેથી સવારે 9:00 વાગ્યાની આસપાસ સ્કૂલે જવા માટે નીકળ્યા હતા.

પછી મનસુખભાઈ અને તેમની પત્ની વાડીમાં કામ કરતા હતા. ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમનો દીકરો જય ઘરે એકલો ઘરે આવતો હતો. ત્યારે તે અચાનક જ ગુમ થઈ ગયો છે. પછી મનસુખભાઈ દીકરાના ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારે બપોરના સમયે મનસુખભાઈ ને ગામના તળાવ પાસેથી પોતાના દીકરા જઈને સ્કૂલબેગ મળી આવી હતી.

ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પછી પોલીસ અને ગામના લોકોએ મળીને તળાવમાં જઈને શોધખોળ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન તળાવમાં પાંચ વર્ષના માસુમ જયનું શરીર ટુકડા કરેલી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ આખું ગામ હિબકે ચડયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાવનગરમાં ગુમ થયેલા 5 વર્ષના માસુમ બાળકોનું મૃતદેહ એવી હાલતમાં મળી આવ્યું કે… હિમ્મત હોય તો જ આગળ વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*