ગોપાલ ઈટાલિયાની ધરપકડથી સમગ્ર ગુજરાતના પટેલ સમાજમાં ભારે રોષ છે : અરવિંદ કેજરીવાલ

Published on: 12:01 pm, Fri, 14 October 22

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ની ધરપકડને લઈને આમ આદમી પાર્ટી એ ગુજરાતના સમગ્ર પટેલ સમાજનું અપમાન ગણાવ્યું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલય ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે કે ગોપાલ ઇટાલીયાના ધરપકડથી ગુજરાતના પટેલ સમુદાયમાં ભારે આક્રોશ ફેલાયો છે અને તેમને સવાલ

કર્યો છે કે આખી ભાજપ ગોપાલ ઇટાલીયા ની પાછળ કેમ પડી છે અને સાથે રાજ્યસભાના સાંસદ સંજય સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભાજપનો પટેલ સમાજને કચેરી નાખવાનો પ્રયાસ છે અને તેમને નકલી કેસોમાં ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે.સામાન્ય પરિવારમાંથી આવેલા ગોપાલ ઇટાલીયા રાજકારણમાં આગળ વધી રહ્યા છે તો તેમને જેલમાં મોકલવાનો ભાજપ શા માટે ઈરાદો ધરાવે છે તેઓ આક્ષેપ આમ

આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. રાજ્યસભાના સાંસદ સંજયસિંહ વધારેમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર પાટીદાર સમાજ સામે નફરતથી ભરેલી છે અને આ પહેલી ઘટના નથી પટેલ સમાજના અપમાનનો આ પહેલો કિસ્સો નથી જ્યારે પણ તક મળી ત્યારે ભાજપે પટેલ સમાજનું અપમાન કર્યું છે અને ગોપાલ ઇટાલીયા સામે દરરોજ કોઈને કોઈ વિડીયો સામે લાવે છે અને પટેલ સમાજ પ્રત્યે નફરતથી ભરેલી ભાજપને આજે ગોપાલ ઇટાલીયા ને ધરપકડ કરવાનું કામ કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગોપાલ ઈટાલિયાની ધરપકડથી સમગ્ર ગુજરાતના પટેલ સમાજમાં ભારે રોષ છે : અરવિંદ કેજરીવાલ"

Leave a comment

Your email address will not be published.


*