સુરત શહેરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. સુરતમાં 27 વર્ષના યુવકનું સાપ કરડવાના કારણે કરુણ મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે, યુવક તેની પત્ની સાથે શાકભાજી લેવા માટે બહાર ગયો હતો. આ દરમિયાન રસ્તામાં યુવક શૌચ માટે ઝાડીમાં ગયો હતો. આ દરમિયાન યુવકને સાપ કરડીયો હતો.
ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો તેનું મોત થઈ ગયું હતું. યુવકનું મોત થતા જ ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. વિગતવાર વાત કરીએ તો સુરતને પાંડેસરા વિસ્તારમાં આવેલી શ્રી ગણેશ નગરમાં મૂળ ઉત્તર પ્રદેશનું 27 વર્ષનો યુવક પોતાના પરિવાર સાથે રહેતો હતો.
યુવકના પરિવારમાં તેના માતા-પિતા, પત્ની અને ત્રણ દીકરીઓ છે. યુવક પાંડેસરામાં જ આવેલી ડાઇનિંગ માં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે યુવક પોતાની પત્ની સાથે શાકભાજી લેવા માટે બહાર ગયો હતો. યુવક પોતાની પત્ની સાથે જતો હતો ત્યારે રસ્તામાં તેને શૌચ લાગી હતી. એટલે તે ઝાડી ઝાંખરામાં શૌચ માટે માટે ગયો હતો.
આ દરમિયાન એક ખતરનાક સાપ તેમના પગમાં વીંટળાઈ ગયો અને તેને કારણે ગયો હતો. ત્યારબાદ તે તરત જ પોતાની પત્ની પાસે ગયો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ પત્નીએ અન્ય લોકોની મદદથી 108 ના મારફતે પતિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
અહીં હોસ્પિટલમાં યુવકને દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. યુવકનો મોત થતા જ તેના પરિવારજનો અને આસપાસના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. પતિના મોતના સમાચાર મળતા જ પત્નીએ હોસ્પિટલમાં હૈયાફાટ રુદન કર્યું હતું. આ ઘટના બનતા જ ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "સુરતમાં પત્ની સાથે શાકભાજી લેવા બહાર ગયેલા યુવક સાથે કંઈક એવું બન્યું કે… 3 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી…"