માં સોનલનું અપમાન કરનાર આહીર સમાજના અગ્રણી વિશે રાજભા ગઢવીએ આપ્યું નિવેદન… જાણો શું બોલ્યા રાજભા ગઢવી…

મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર આહિર સમાજના એક અગ્રણીએ આપેલા વિવાદિત નિવેદનની ચર્ચાઓ ચાલી રહી છે. આહીર સમાજના એક અગ્રણી જાહેર મંચ પર માં સોનલ અને ચારણ સમાજ વિશે ન બોલવાની વાતો બોલ્યા હતા.

ત્યારે તેમને આપેલા આ નિવેદનને લઈને ચારણ સમાજના અગ્રણીઓ, કલાકારો અને મહાનુભાવો પોતાનું નિવેદન આપી રહ્યા છે. ત્યારે આ વાતને લઈને હવે ગુજરાતના લોક પ્રિય સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ પોતાનું નિવેદન આપ્યું છે.

રાજભા ગઢવી એ કહ્યું કે, ચારણ સમાજ અને સોનબાઈ માતાજી નું અપમાન કરનાર વ્યક્તિને સૌથી પહેલા તો ચારણ સમાજ વિશે જાણવું જોઈએ. કાંઈ ખબર ન હોય તો જાહેરમાં આવીને આવું ન બોલાય.

વધુમાં રાજભા ગઢવીએ કહ્યું કે, આહીર સમાજના આટલા બધા અગ્રણીઓ છે. એમને મારે એ કહેવું છે કે, કોઈપણ માણસ ખરાબ બોલીને ખરાબ કરે એના કરતા પણ વધારે ડાયો માણસ એ ટાણે મૂંગો રે તે સમાજ માટે સૌથી વધારે ખરાબ થાય છે. આ ઉપરાંત રાજભા ગઢવી બીજી ઘણી બધી વાતો કરે છે તે તમે નીચે આપેલા વીડિયોમાં સાંભળી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*