સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ, આ દિગ્ગજ નેતાએ પાર્ટીને કરી અલવિદા.

Published on: 10:13 am, Tue, 16 February 21

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ દ્વારા વર્ષોથી પાર્ટીના વફાદાર રહેનારા કાર્યકર્તાઓને અવગણના કરી ટિકીટ ન ફાળવતા કાર્યકર્તાઓ માં નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો. પાટણ કોંગ્રેસમાં ટિકિટ મુદ્દે અસંતોષના કારણે રાજીનામું પડ્યું છે.

પૂર્વ ધારાસભ્ય કેશાજી ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને તેઓએ અમિત ચાવડા ને પત્ર લખીને રાજીનામું આપ્યું છે. તેમને ધારાસભ્ય કીરીટ પટેલ ની ગાન્ડ માં ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસ છોડીને જવાનો દોર યથાવત રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી કેસાજી ઠાકોર તેઓએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ.

અમિત ચાવડા ને પત્ર લખીને રાજીનામું આપી દીધું છે.પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કીરીટ પટેલ સરકારની ગ્રાન્ટ ને પોતાના અંગત કામમાં વાપરવાનો ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે.

કેશાજી ઠાકોર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને લેખિત મા આપેલા પોતાના રાજીનામા પાટણના ધારાસભ્ય દ્વારા પોતાની મનમાની ચલાવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયતના પોતાના મળતિયા ઉમેદવારોને ટિકિટ આપી.

કોંગ્રેસના વફાદાર કાર્યકર્તાઓને અવગણના કરી હોવાનો આક્ષેપ કર્યો છે. ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય કેશાજી ઠાકોર દ્વારા કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપવાની બાબત લઇ કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ, આ દિગ્ગજ નેતાએ પાર્ટીને કરી અલવિદા."

Leave a comment

Your email address will not be published.


*