આમ આદમી પાર્ટીને ગુજરાતની સત્તા સોંપવા જનતા તૈયાર : આપ ના નેતાઓ

Published on: 6:13 pm, Sun, 30 October 22

ગુજરાતમાં મજબૂત વિકલ્પ તરીકે પોતાની ઓળખ ઉભી કરી છે તેવું આમ આદમી પાર્ટીના નેતાઓ નિવેદન આપી રહ્યા છે અને તે લોકો કહી રહ્યા છે કે જનતા તરફથી પ્રચંડ સમર્થન મળી રહ્યું છે જેના આધારે આજે ચૂંટણી યોજાઈ તો પણ આમ આદમી પાર્ટીને ગુજરાતની સત્તા સોંપવા માટે તૈયાર છે ને ગુજરાતના દરેક વર્ગના સમાજના જાતિના ધર્મના અને દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે.

આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે ખેડૂતો યુવાનો અને મહિલાઓની પહેલી પસંદ બની છે અને સમાજ સેવાના હેતુસર આજે પાર્ટીમાં અન્ય પાર્ટીઓના ઈમાનદાર લોકો પણ જોડાઈને જનતાના સેવા કરવા માટે આગળ વધી રહ્યા છે અને તેમના નેતાએ વધુમાં કહ્યું કે ભાજપના નાણાકીય સેલના સદસ્ય તરીકે કેતન કિશોરભાઈ પટેલ ફરજ નિભાવતા હતા અને આમ આદમી પાર્ટીની ઈમાનદારીથી અને રાજનીતિથી પ્રભાવિત થઈને કેતન પટેલ ભાજપનો સાથ છોડીને આમ આદમી ની પાર્ટીમાં જોડાયા છે.

અરવિંદ કેજરી વાલે કેતનભાઇ ને ટોપી અને ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું અને કેતનભાઇ ચાર વર્ષ માટે પારડી તાલુકા પંચાયતના માજી પ્રમુખ તરીકે સેવા આપી છે અને એક વર્ષ માટે વાપી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી છે અને પાંચ વર્ષથી તાલુકા પંચાયતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આમ આદમી પાર્ટીને ગુજરાતની સત્તા સોંપવા જનતા તૈયાર : આપ ના નેતાઓ"

Leave a comment

Your email address will not be published.


*