બજરંગદાસ બાપાના અનુયાયી મનજી બાપા ની અંતિમ યાત્રામાં ઉમટયુ માનવ મહેરામણ,ગામની અંદર બે દિવસ તમામ દુકાનો સજ્જડ બંધ…

Published on: 10:21 am, Fri, 16 February 24

મિત્રો બજરંગદાસ બાપાના અનુયાયી અને બજરંગદાસ બાપાના આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટ એવા મનજી બાપા નું વસંત પંચમીના દિવસે નિધન થયું હતું. તેમને હૃદય રોગનો હુમલો આવતા 85 વર્ષની ઉંમર તેમનું અવસાન થયું છે અને તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ધરાઈ રોડ પર આવેલી વાડીમાં બે દિવસ રાખવામાં પણ આવ્યો હતો

ત્યારે ગઈકાલે બપોરના ચાર વાગ્યાની આજુબાજુ બગદાણા ધામમાંથી તેમની અંતિમયાત્રા નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને મનજી બાપાને શ્રદ્ધાંજલિ પાઠવવા સમગ્ર બગદાણા પંથકમાં બે દિવસનો સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો છે.

ગામમાં તમામ વેપાર ધંધા બે દિવસ બંધ રહ્યા હતા અને ગુરુ ભક્તથી જાણીતા મનજી બાપા નું નિધન થતા સમગ્ર બગદાણા સજ્જડ બંધ રહ્યું હતું.મનજી બાપા બજરંગદાસ બાપાના અનુયાયી હતા અને બજરંગદાસ બાપાના આશ્રમના ટ્રસ્ટી પણ હતા અને તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ-સંતો ઉપરાંત રાજકીય આગેવાનો અને તેમના ભક્તો શ્રદ્ધાંજલિ પાઠવવા પહોંચ્યા

હતા. મનજી બાપા નું સમાજ સેવા ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન હતું અને મનજી બાપા ના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા એક્સ પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને જણાવ્યું હતું કે સમાજ સેવા ક્ષેત્રે મનજી બાપા નું યોગદાન હંમેશા યાદ રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "બજરંગદાસ બાપાના અનુયાયી મનજી બાપા ની અંતિમ યાત્રામાં ઉમટયુ માનવ મહેરામણ,ગામની અંદર બે દિવસ તમામ દુકાનો સજ્જડ બંધ…"

Leave a comment

Your email address will not be published.


*