રાત્રે પિતાની બાજુમાં સૂતેલા 5 વર્ષના દીકરા દર્દનાક મોત… બાળકના મોતનું કારણ જાણીને રુવાડા બેઠા થઈ જશે…

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે હાલમાં બનેલો એક દુઃખદ કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં એક પાંચ વર્ષના માસુમ બાળકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે એક ઝેરીલો સાપ બાળકના પલંગમાં ઘૂસી ગયો હતો. પલંગમાં હલનચલન થયું એટલે બાળકના પિતા પણ જાગી ગયા હતા.

જ્યારે પિતાએ પલંગ પર એક ઝેરીલો સાપ બેઠેલો જોયો હતો. ત્યારબાદ બાળકના પિતાએ તે સાપનો જીવ લઈ લીધો હતો. આ દરમિયાન પાંચ વર્ષનો માસુમ બાળક પણ જાગી ગયો હતો. પછી પિતાએ બાળકને પૂછ્યું કે તને કાંઈ થયું છે? ત્યારે બાળકે ના પાડી હતી, એટલે બધા ફરતી સૂઈ ગયા હતા. લગભગ ત્રણ કલાક પછી અચાનક જ બાળકના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા.

એટલે પરિવારના સભ્યો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના ઈન્દોરમાંથી સામે આવી રહી છે અને બાળકનું મૃત્યુ એમવાય હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ગુરૂવારના રોજ રાત્રિના સમયે બની હતી.

ત્યારબાદ પાંચ વર્ષના અંકુર નામના બાળકને એમવાય હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. બાળકના પિતાએ જણાવ્યું કે તેમના દીકરાને સાથે ડંખ માર્યો હતો. ત્યારબાદ તેની તબિયત બગડી ગઈ હતી. ત્યારે અંકુરનું એમવાય હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે આજરોજ અંકુરના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને પછી મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. માત્ર પાંચ વર્ષના દીકરાનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં છવાઈ ગયો છે.

અંકુર ના પિતા ખેતી કામ કરે છે. જાણવા મળી રહ્યું છે કે રાત્રે અંકુર પોતાના પિતા પાસે બેડ ઉપર સૂતો હતો. મોડી રાત્રે જ્યારે અંકુરના પિતા જાગ્યા ત્યારે તેમને બેડ ઉપર એક સાપ જોયો હતો. ત્યારબાદ અંકુરના પિતાએ લાકડી લઈને સાપનો જીવ લઈ લીધો હતો. જેના કારણે તેમની નજીકમાં સુતેલી તેમની પત્ની અને 12 વર્ષની દીકરી પણ જાગી ગઈ હતી.

ત્યારબાદ પિતાએ અંકુરને અને પોતાની પત્ની અને દીકરીને પૂછ્યું હતું કે તમને કાંઈ થયું નથી ને. ત્યારે બધાએ ના પાડી હતી અને બધા પછી સુઈ ગયા હતા. સવારે 7:00 વાગ્યાની આસપાસ અંકુરની માતાએ અંકુરના મોઢામાંથી ફીણ નીકળતા જોયા હતા. પછી અંકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેનું મોત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*