રક્ષાબંધનના દિવસે મામાના ઘરે ગયેલા ભાણીયાનું રીબાઈ રીબાઈને મોત… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 5:41 pm, Thu, 31 August 23

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રક્ષાબંધનના દિવસે મામાના ઘરે ગયેલા 11 વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જતા કરુણ મોત થયું છે. મામાના ઘરે ગયેલો બાળક પોતાના મિત્રો સાથે તળાવમાં ન્હાવા ગયો હતો.

આ દરમિયાન તે ઊંડા પાણીમાં ચાલ્યો ગયો હતો અને તે પાણીમાં ડૂબી ગયો હતો. જેના કારણે તેનું મોત થયું છે. આ ઘટનાની જાણ થતા જ બાળકના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા આવી હતી.

ત્યારબાદ બાળકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર બિજેન્દ્રકુમાર નામના વ્યક્તિની પત્ની રેશમા તેના દીકરા સંદીપ અને દીકરી જ્યોતિ સાથે રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધવા માટે પિયરમાં ગઈ હતી.

આ દરમિયાન 11 વર્ષનો સંદીપ તેના મામાના ગામના મિત્રો સાથે ઘરથી થોડીક દૂર એક તળાવમાં ન્હાવા માટે ગયો હતો. અહીં મિત્રો સાથે તળાવમાં મોજ મસ્તી કરતી વખતે સંદીપ ઊંડા પાણીમાં ચાલ્યો ગયો હતો. ઊંડા પાણીમાં ડૂબી જતા તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી સંદીપને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

ઘટનાની માહિતી મળતા સંદીપના પરિવારના સભ્યો પણ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સંદીપની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યું હતું. આ ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવી હતી. ત્યારબાદ બાળકના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રક્ષાબંધનના દિવસે મામાના ઘરે ગયેલા ભાણીયાનું રીબાઈ રીબાઈને મોત… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*