ભાવનગરમાં દિવાળીના દિવસે રાત્રે પતિ-પત્ની વચ્ચે સામાન્ય બાબત પર ઝઘડો થયો, પછી ગુસ્સામાં ભરાયેલા પતિએ એવું પગલું ભર્યું કે…પરિવારના લોકો દોડતા થઈ ગયા…

Published on: 11:47 am, Tue, 25 October 22

ગુજરાતમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ભાવનગરમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. ગઈકાલે દિવાળીના દિવસે ભાવનગર શહેરમાં રાત્રે એક તરફ ફટાકડા ફૂટી રહ્યા હતા અને બીજી તરફ સામાન્ય બોલાચાલીની બાબતમાં એક પતિએ ધારદાર વસ્તુ વડે પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો.

આ ઘટના ભાવનગર શહેરના ઈન્દિરાનગર વિસ્તારમાં બની હતી. આ ઘટના બનતા જ દિવાળીની ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને ઘટના બન્યા બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પત્નીનો જીવ લીધા બાદ આરોપી પતિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે આરોપી પતિ ની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ભાવનગર શહેરના ઈન્દિરાનગર વિસ્તારમાં રહેતા હિંમતભાઈ દાનાભાઈ જોગદીયા અને તેમના પત્ની દીપુબેન વચ્ચે ગઈકાલે દિવાળીના દિવસે રાત્રે સામાન્ય બાબત પર ઝઘડો થઈ ગયો હતો.

વાત વાતમાં ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલા હિંમતભાઈ ધારદાર વસ્તુ વડે પોતાની જ પત્ની ઉપર પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત હિંમતભાઈ અન્ય બે લોકો પર પણ ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા.

આ ઘટનામાં દીપુબેન ગંભીર રીતે જાગ્રસ્ત થયા હતા આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે લોકોને સારવાર માટે સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે. બંને વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો હતો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ આરોપીની ધરપકડ થયા બાદ આ ઘટનાને લઈને વિગતવાર માહિતી સામે આવશે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાવનગરમાં દિવાળીના દિવસે રાત્રે પતિ-પત્ની વચ્ચે સામાન્ય બાબત પર ઝઘડો થયો, પછી ગુસ્સામાં ભરાયેલા પતિએ એવું પગલું ભર્યું કે…પરિવારના લોકો દોડતા થઈ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*