હે મારા રામ તું એટલો બધો નિર્દય કેમ..? મોરબી દુર્ઘટનામાં ત્રણ સગા ભાઈઓના રિબાઈ રિબાઈની મોત… ભગવાન ત્રણેયની આત્માને શાંતિ આપે..!

Published on: 3:40 pm, Thu, 3 November 22

મોરબીમાં રવિવારના રોજ સાંજના સમયે બનેલી દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતની જ નહી પરંતુ દેશની જનતાને હચમચાવી દીધી છે. આ ઘટનામાં અચાનક જ મોરબીમાં આવેલો ઝુલતો પુલ તૂટી પડતાં પૂલ પર હાજર લોકો એક સાથે મચ્છુ નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં સેકડો લોકોના મોત થયા છે. મોરબીમાં બનેલી દુર્ઘટનાના કારણે ઘણા હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મોટેભાગ બાળકો અને મહિલાઓએ પોતાના જીવનમાં આવ્યા છે. આ ઘટનામાં અનેક માતાઓએ પોતાના દીકરા ગુમાવ્યા છે. ત્યારે આજે આપણે એક તેવી જ માતા વિશે વાત કરવાના છીએ જેને મોરબીમાં બનેલી દુર્ઘટનામાં પોતાના ત્રણ દીકરા ગુમાવ્યા છે.

આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલ્વે સ્ટેશન પાછળ ગાંધી સોસાયટીની બાજુમાં આવેલા બૌદ્ધનગરમાં રહેતા અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા રાજેશભાઈ મુછડીયાના ત્રણ દીકરાઓ મોરબીમાં બનેલી દુર્ઘટનામાં દુનિયા છોડીને ચાલ્યા ગયા છે.

આ ઘટનામાં 20 વર્ષીય ચિરાગ મુછડીયા, 18 વર્ષીય ધાર્મિક મુછડીયા, 16 વર્ષીય ચેતન મુછડીયા ગામના ત્રણ દીકરાઓએ એક સાથે પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલા ત્રણેય બાળકો સગા ભાઈઓ હતા. ત્રણેય સગા ભાઈઓ મોરબીમાં આવેલા ઝુલતા પુલ ઉપર ફરવા માટે ગયા હતા. ત્યારે અચાનક જ પુલ તૂટી પડ્યો હતો.

આ ઘટનામાં પુલ પર હાજર તમામ લોકો સાથે ત્રણેય ભાઈઓ પણ મચ્છુ નદીમાં પડ્યા હતા. ત્રણેય ભાઈઓના પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યા હતા. ઘણો સમય થઈ ગયો પરંતુ ત્રણેય ભાઈઓ ઘરે પરત ન આવ્યા અને પુલ તૂટ્યાની જાણ તેના માતા-પિતાને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર રાત્રે 11 વાગ્યાની આસપાસ મચ્છુ નદીમાંથી વારાફરતી ત્રણેય ભાઈઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ મૃતક બાળકોના માતા-પિતા અને પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. બે ભાઈઓ ચિરાગ અને ધાર્મિક ઇલેક્ટ્રિશિયનનું કામ કરીને પરિવારને ગુજરાન ચલાવવામાં મદદ કરતા હતા.

ત્યારે સૌથી નાનો ભાઈ ચેતન ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો.એક સાથે ત્રણ સગા દીકરાઓના મૃત્યુ થતા માતા-પિતા રડી રડીને અડધા થઈ ગયા છે અને પરિવારમાં પણ માતમ છવાઈ ગયો છે. આવી જ રીતે આ ઘટનામાં અનેક હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હે મારા રામ તું એટલો બધો નિર્દય કેમ..? મોરબી દુર્ઘટનામાં ત્રણ સગા ભાઈઓના રિબાઈ રિબાઈની મોત… ભગવાન ત્રણેયની આત્માને શાંતિ આપે..!"

Leave a comment

Your email address will not be published.


*