હે ભગવાન તું આટલો બધો નિર્દય કેમ..? લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, બાપ-દીકરાનું એક જ સાથે કરુણ મોત…

Published on: 5:42 pm, Fri, 9 December 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની ભૂલના કારણે રસ્તો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.

આ અકસ્માતની ઘટનામાં બાઇક પર સવાર પિતા અને પુત્રનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે મોટો દીકરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્રણેય બાપ દીકરો બાઈક પર સવાર થઈને લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા.

ત્યારે રસ્તામાં તેમની સાથે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે પિતા અને દીકરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ ગંભીર અકસ્માતની ઘટના આજરોજ સવારે બિજનૌરમાં બની હતી. 38 વર્ષના અશોકભાઈ પોતાના 13 વર્ષના દીકરા અભી અને 15 વર્ષના દીકરા પ્રેમ સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. લગ્ન સમાપ્ત થઈ ગયા બાદ ત્રણેય બાપ દીકરો બાઈક પર સવાર થઈને બપોરે ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવારે ત્રણેય બાપ દીકરો ફંગોળાઈને દૂર જઈને પડ્યા હતા. ત્રણેય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા. ત્યારે રસ્તામાં અશોકભાઈ અને તેમના નાના દીકરા અભિનું મોત થયું હતું.

જ્યારે મોટા દીકરાની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલુ છે. તેની હાલત ખૂબ જ નાજુક છે તેવું કહેવામાં આવી રહ્યું છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક જ દિવસે એક સાથે બાપ દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઈને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હે ભગવાન તું આટલો બધો નિર્દય કેમ..? લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, બાપ-દીકરાનું એક જ સાથે કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*