કોરોના મહામારી વચ્ચે અમદાવાદના આ લોકોને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર,જાણો વિગતે

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ જાહેરનામા મુજબ ખાનગી કારમાં એક ડ્રાઈવર અને ત્રણ પેસેન્જરને મંજૂરી આપવામાં આવી છે અને આ ઉપરાંત કાર ના ડ્રાઈવર અને પેસેન્જરને માસ્ક ફરજિયાત પહેરવાનું પણ હુકમ આપવામાં આવ્યો છે. અમદાવાદના ઓટો રીક્ષા ડ્રાઈવરને લઈને અમદાવાદ પોલીસ કમિશનર એક મહત્વપૂર્ણ અને રાહત ના સમાચાર આપ્યા છે. ઓટો રિક્ષામાં બે પેસેન્જર ને બેસી શકાશે.

અને ઓટોરિક્ષા ના ડ્રાઈવર અને પેસેન્જરને પણ ફરજિયાત પણે માસ્ક પહેરવું પડશે. અમદાવાદ શહેરમાં મનોરંજન પાર્ક અને તેના સમાન સ્થળ સ્વિમિંગ પૂલ, બિઝનેસ ટુ બિઝનેસ, એક્ઝિબિશન પાર્ક અને બગીચા તમામ ધાર્મિક સ્થળોના ભારત સરકારને રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એસઓપી અનુસાર ચાલુ રખાશે.

આ ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સ ઉપરાંત થિયેટર 50 ટકા શમતા સાથે ચાલુ રાખી શકાશે અને આ ઉપરાંત અન્ય પ્રસંગો તેમજ મૃત્યુના પ્રસંગે લોકોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે.

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા બહાર પાડવામાં આવેલું જાહેરનામું 31મી ડિસેમ્બર સુધી અમલ મા રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*