ગુજરાતના એક સાથે બે ગામમાં માતમ છવાઈ ગયું : એક ગામમાં માતા અને બે દીકરીઓની અને બીજા ગામમાં બે ભાઈઓની અંતિમયાત્રા નીકળે… જાણો આ દર્દનાક ઘટના…

Published on: 5:05 pm, Fri, 12 August 22

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સોજીત્રાના ડાલી ગામ પાસે ગુરૂવારના રોજ મોદી સાંજે એક ત્રીપલ અકસ્માતની ઘટના બની હતી. આ ગંભીર અકસ્માતની ઘટનામાં સોજીત્રાના મિસ્ત્રી પરિવારના માતા અને બે દીકરીઓ અને બોરીયાવીના બે કાકા બાપાના ભાઈઓ અને રીક્ષા ડ્રાઇવર સહિત કુલ છ લોકોના મૃત્યુ નીપજ્યા હતા.

આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં જીવ ગુમાવનાર માતા અને બે દીકરીઓની અંતિમયાત્રા શુક્રવારના રોજ સવારે નીકળી હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જ્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું. આ ઉપરાંત બોરીયાવી ગામમાં બે ભાઈઓના મૃત્યુના કારણે પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

આ ઘટના બનતા જ ગુજરાતના બે ગામમાં માતમ છવાઈ ગયો હતો. આ અકસ્માત જેના કારણે બન્યો છે તે આરોપીને કડકમાં કડક સજા મળે અને મૃતકોને જલ્દી થઈને મળે તે માટે લોકો પોતાની લાગણીઓ બતાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર સોજીત્રા ગામે રહેતા વિપુલભાઈ પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે તારાપુરના ટીંબા ગામે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે ગયા હતા.

જ્યાંથી તેઓ રિક્ષામાં સોજીત્રા આવવા માટે નીકળ્યા હતા. આ ઉપરાંત બોરીયાવી ગામના બે કાકા બાપાના દીકરા બે ભાઈ મિત્રની સામાજિક વ્યવહારનું કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ડાલી ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે ત્રીપલ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં રીક્ષા ચાલક, વિપુલભાઈની પત્ની અને બંને દીકરીઓ તેમજ બાઈક સવાર બંને ભાઈઓના મૃત્યુ નીપજ્યા છે.

અકસ્માતની બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. એક જ દિવસે બે દીકરીઓ અને માતાનું મૃત્યુ થતાં આખું ગામ હિબકે ચડ્યું હતું. આજ રોજ સવારે એક સાથે તેમની અંતિમયાત્રા નીકળી હતી.

આ ઉપરાંત બોરિયાવી ગામમાં પણ આજ સવારે એક સાથે બે ભાઈઓની અંતિમયાત્રા નીકળી હતી. આ ઘટનાઓના કારણે સમગ્ર ગુજરાતની જનતામાં માતમ થવાઈ ગયો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર ચાલક યુવકને નશામાં હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતના એક સાથે બે ગામમાં માતમ છવાઈ ગયું : એક ગામમાં માતા અને બે દીકરીઓની અને બીજા ગામમાં બે ભાઈઓની અંતિમયાત્રા નીકળે… જાણો આ દર્દનાક ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*