ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના ઘરે માતમ છવાઈ ગયું, માયાભાઈ આહીરના પિતાશ્રી વીરા આતાજીનું 103 વર્ષની ઉંમરે નિધન થયું…

Published on: 10:31 am, Sun, 31 July 22

ગુજરાતના જાણીતા લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરના ઘરે એક દુઃખદાયક ઘટના બની છે. તેમના હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. તમને આ વાત જાણીને ખૂબ જ દુઃખ થશે કે, માયાભાઈ આહીરના પિતાશ્રી વીરા આતાજીનું 103 વર્ષની વયે અવસાન થયું છે.

આ સમાચાર સાંભળીને માયાભાઈ આહીરના ચાહકોમાં માતમ છવાઈ ગયો છે. આ ઉપરાંત ગુજરાતના લોકસાહિત્ય કલાકારોની દુનિયામાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. માયાભાઈ આહીર સોશિયલ મીડિયા દ્વારા પોતાના પિતાશ્રીના નિધનના સમાચાર આપ્યા હતા.

માયાભાઈ આહીરના પિતાશ્રી વીરા આતાજીનું નિધન 30/07/2022 રોજ થયું હતું. તેમના પિતા 103 વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થયા છે. આજરોજ 8 વાગે તેમની અંતિમયાત્રા નીકળી છે. મોટી સંખ્યામાં લોકો માયાભાઈ આહીરના પિતાશ્રીની અંતિમયાત્રામાં હાજર રહ્યા હતા.

આપણને બધાને ખબર છે કે, માયાભાઈ આહીર જીવનમાં દિવસ રાત મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરી છે. તેમની જીવનની સફળતા અને નિષ્ફળતામાં તેમના પિતાશ્રી વીરા આતાજી સાક્ષી રહ્યા છે.

માયાભાઈ આહીરના પિતાશ્રીના અવસાનના દુઃખદ ઘટનાના સમાચાર મળતા લોકસાહિત્ય કલાકારોમાં પણ માતમ છવાઈ ગયો હતો. ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ સોશિયલ મીડિયામાં આ દુઃખદ સમાચાર વિશે જાણ કરી છે. તેમને માયાભાઈ આહીરના પિતાશ્રીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના ઘરે માતમ છવાઈ ગયું, માયાભાઈ આહીરના પિતાશ્રી વીરા આતાજીનું 103 વર્ષની ઉંમરે નિધન થયું…"

Leave a comment

Your email address will not be published.


*