માતાજીનો ચમત્કાર ? ભક્તોએ માતાજીના મંદિરમાં શ્રીફળ વધેરતા અંદરથી એવી વસ્તુ નીકળી કે….ત્યાં હાજર બધા ભક્તોએ હાથ જોડ્યા…

Published on: 3:26 pm, Wed, 19 October 22

ઘણી વખત અમુક એવા ચમત્કાર બનતા હોય છે કે આપણે પણ ચમત્કાર જોઈને ચોકી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં ગુજરાતના પાટણમાં બનેલા તેવા જ એક ચમત્કાર વિશે આજે અમે તમને વાત કરવાના છીએ. ધર્મ ભક્તિમાં માનનારા ધર્મપ્રેમી લોકો શ્રદ્ધામાં પણ માનનારા હોય છે.

તેથી જ અનેક શ્રદ્ધાળુઓ દેવી-દેવતાઓની ઉપર પૂરી શ્રદ્ધા રાખીને માનતા માનતા હોય છે. માનતા પૂરી થતાં જ શ્રદ્ધાળુઓ મનમાં સંકલ્પ કરેલો હોય તે પ્રસાદ દેવી દેવતાને અર્પણ કરીને માનતા પૂરી કરતા હોય છે.

પાટણના શ્રદ્ધાળુ એવા દિનેશભાઈ મકવાણા પોતાની મનોકામના પૂરી કરવા માટે પાટણ નજીક આવેલા ધારપુરના સધી માતાજીના મંદિરે માનતા રાખી હતી. માનતા પૂરી થતાં જ દિનેશભાઈ મંગળવારના રોજ પવિત્ર દિવસે સધી માતાજીના મંદિરે ગયા હતા.

માતાજીના મંદિરમાં દિનેશભાઈ શ્રીફળ વધેરતા હતા ત્યારે કંઈક એવું બન્યું કે ત્યાં હાજર તમામ લોકો ચોકી ગયા હતા. શ્રીફળ વધેરવામાં આવ્યું ત્યારે તેમાંથી હંસ આકારનો અંદરનો ભાગ નીકળ્યો હતો.

આસ્થા ભક્તિ સાથેની દિનેશભાઈ મકવાણાની બધી માનતા પૂર્ણ થતા અને સધી માતાજી સન્મુખ વધારવામાં આવેલા શ્રીફળ માંથી હંસ આકાર નીકળતા. ત્યાં હાજર તમામ ભક્તો ચોકી ગયા હતા અને ત્યારબાદ તમામ લોકોએ માતાજી સાથે શ્રીફળના પણ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતાજીનો ચમત્કાર ? ભક્તોએ માતાજીના મંદિરમાં શ્રીફળ વધેરતા અંદરથી એવી વસ્તુ નીકળી કે….ત્યાં હાજર બધા ભક્તોએ હાથ જોડ્યા…"

Leave a comment

Your email address will not be published.


*