મમ્મી, ‘હું બાજુના મેદાનમાં ગરબા રમવા જાઉં છું’ તેમ કહીને ઘરેથી નીકળેલી દીકરીનું મૃતદેહ ઘરે પાછું આવ્યું, ગરબા રમતા-રમતા દીકરી સાથે એવું થયું કે…

Published on: 2:19 pm, Tue, 4 October 22

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં નવરાત્રીનો રંગ જામ્યો છે. છેલ્લા બે વર્ષથી નવરાત્રીનું આયોજન ન થયું હોવાના કારણે આ વર્ષે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે. પરંતુ અમુક વખત ગરબા રમતી વખતે એવી ઘટનાઓ બનતી હોય છે. જેના કારણે નવરાત્રીની ખુશીમાં માતમ થવા જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના ભવરકુવા વિસ્તારમાંથી સામે આવી છે.

આ ઘટનામાં કંઈક એવું બન્યું કે જુવાન દીકરીના માતા-પિતાને રડવાનો વારો આવ્યો છે. ભવરકુવા વિસ્તારમાં આવેલી જીત નગર સોસાયટીની અંદર અંબારામભાઈ પોતાના પરિવાર સાથે રહે છે. અંબારામભાઈને 21 વર્ષની શાંતિ નામની દીકરી છે. નવરાત્રીમાં ઘરની બાજુમાં આવેલા પીપળીયા રાવની વાડીમાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

શાંતિને ગરબા રમવાનો ખૂબ જ શોખ હતો. ત્યારે ઘટનાના દિવસે રાત્રિના સમયે તે પોતાની મમ્મીને કહે છે કે, મમ્મી હું ગરબા રમવા માટે બાજુના મેદાનમાં જાઉં છું, તેમ કહીને ઘરેથી નીકળી હતી. ઘણો સમય થઈ ગયો છતાં પણ શાંતિ ઘરે ન આવી તેથી પરિવારના લોકોને તેની ચિંતા થવા લાગી. ત્યારબાદ પરિવારના લોકો દિકરીની શોધખોળ કરવા માટે ગરબાના મેદાનમાં પહોંચ્યા હતા.

ત્યારે દીકરીના પિતાએ જણાવ્યું કે, શાંતિ ગરબા રમતા રમતા અચાનક ઢળી પડી હતી. જેના કારણે આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. કેટલાક લોકોનું કહેવું હતું કે શાંતિ એ લાંબા સમય સુધી પાણી પીધું ન હતું. તેથી ગરબા રમતી વખતે તેને ગરમી થઇ હશે અને તે ગભરામણ ના કારણે જમીન પર ઢળી પડી હશે અથવા તો તેને ચક્કર આવ્યા હશે.

ત્યારબાદ ત્યાં હાજર લોકો શાંતિના ચહેરા ઉપર પાણી છાંટવા લાગ્યા. પરંતુ શાંતિ ભાનમાં આવી નહીં. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યાં શાંતિના માતા-પિતાને કોઈ ઓળખતું ન હતું તેથી તેના માતા પિતાને કોઈ જાણ કરી ન હતી.

ત્યારબાદ શાંતિ ના પિતા ગોતા મેદાનમાં આવ્યા ત્યારે ત્યાં હાજર લોકોએ તેમને આ ઘટનાની જાણ કરી હતી. તેથી તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે શાંતિની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ ત્યારબાદ પોલીસને આપવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ શાંતિના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. શાંતિના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મમ્મી, ‘હું બાજુના મેદાનમાં ગરબા રમવા જાઉં છું’ તેમ કહીને ઘરેથી નીકળેલી દીકરીનું મૃતદેહ ઘરે પાછું આવ્યું, ગરબા રમતા-રમતા દીકરી સાથે એવું થયું કે…"

Leave a comment

Your email address will not be published.


*