ચાલીને શક્તિ માતાજીના મંદિરે જતા પરિવારના મોભીનું અકસ્માતમાં કમકમાટીભર્યું મોત… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાયો…

ગુજરાતમાં અકસ્માતના બનાવો ખૂબ જ વધ્યા છે. ત્યારે મોરબીમાં બનેલી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. મોરબીના શકત શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે ચાલીને દર્શન કરવા જતા વૃદ્ધ વ્યક્તિનું અકસ્માતમાં કરુણ મોત થયું છે. વૃદ્ધ વ્યક્તિને અજાણ્યા વાહને જોરદાર ટક્કર લગાવી હતી.

જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ હરીદેવસિંહ ઝાલા હતું. આ ઘટનાને લઈને યોગીરાજસિંહ નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

ફરિયાદી એ જણાવ્યું કે, તેમના માતા પિતા અને ત્રણેય બહેનો મેઘપર ઝાલા ગામથી મોરબી શનાળા શક્તિ માતાજીના મંદિરે ચાલીને જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન ફરિયાદી યોગીરાજસિંહ ઝાલા અને જયરાજસિંહ માતાજીના મંદિરે પહોંચી ગયા.

ત્યારે તેમના માતા પિતા અને ત્રણ બહેનો રાજપરા રોડ પર ચાલીને આવતા હતા. ત્યારે સવારના 5:45 વાગ્યાની આસપાસ રાજપરા રોડ પર સાઈડમાં ચાલીને જતા હતા. આ દરમિયાન એક અજાણ્યા વાહને તેમના પિતા હરીદેવસિંહ ઝાલાને જોરદાર ટક્કર લગાવી હતી. આ કારણસર તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

પછી તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે હાજર ડોક્ટરે તેમની તપાસ કર્યા બાદ તેમની મૃત જાહેર કર્યા હતા. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*