હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદ અને ચોમાસાની વિદાયને લઈને ફરી એક વખત કરી મોટી આગાહી, જાણો વિગતે

Published on: 4:16 pm, Wed, 30 September 20

એક દિવસ પહેલા જ ભારતીય હવામાન વિભાગ તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે,ઉત્તર ભારતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. આ વર્ષે દેશમાં સરેરાશ થી વધારે વરસાદ પડયો હોવાથી ખેડૂતોને મોટાપાયે નુકસાન પણ થયું છે.ગુજરાત રાજ્યમાં હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે 30 ઓક્ટોમ્બર થી 8 નવેમ્બર સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરતા કહ્યું છે.

વરસાદ ઉપરાંત આંબાલાલ પટેલ અને અન્ય સાત જેટલી આગાહી પણ કરી છે જેમાં શિયાળુ પાક,વરસાદ ની વિદાય,તડકો જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે.હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં 30 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસાની વિદાય પણ મોડી થવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

આ ઉપરાંત કપાસના પાકને નુકસાનની ભીતિ પણ તેઓએ આવી છે. શિયાળુ પાક ખેડૂતો માટે સારા રહેવાની આશા વ્યક્ત હવામાનશાસ્ત્રીઓએ કરી છે.

તેમના મત મુજબ ઓક્ટોબર મહિનામાં સખત તડકો પડી શકે છે અને હળવાશ પડતો વરસાદની સંભાવના રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદ અને ચોમાસાની વિદાયને લઈને ફરી એક વખત કરી મોટી આગાહી, જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*