હનુમાનજી નો અનોખો ચમત્કાર..! સંજીવની ની શોધમાં આ પર્વત પર રોકાયા હતા ભગવાન હનુમાન,108 ફૂટ ના હનુમાનજીના દર્શન કરીને…

Published on: 10:58 am, Thu, 25 January 24

હિમાચલ પ્રદેશે સનાતન દેવી-દેવતાઓની ભૂમિ પણ કહેવાય છે અહીંના લોકો દેવી-દેવતાઓમાં ખૂબ જ વધારે શ્રદ્ધા ધરાવે છે જ્યારે દરિયાની સપાટીથી લગભગ 8040 ફૂટની ઊંચાઈ પર આવેલા હનુમાન મંદિર પર લોકોની અતૂટ શ્રદ્ધા છે અને અહીં હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમા લોકોને ખૂબ જ આકર્ષે છે.

આ પ્રતિમા સીમલા ના કોઈ પણ ખૂણેથી જોઈ શકાય છે અને દેશ વિદેશમાંથી લોકો હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે અહીં આવતા હોય છે.મિત્રો જાખુ મંદીનો ઈતિહાસ રામાયણ કાળ સાથે સંબંધિત છે એટલા માટે જ આ મંદિરને જાખુ હનુમાનજી મંદિર કહેવાયું છે. ભગવાન રામ અને રાવણ વચ્ચેના યુદ્ધ દરમિયાન મેઘનાથના શક્તિમાન થી લક્ષ્મણ બેભાન થઈ ગયા

હતા અને આ પછી ડોક્ટર દ્વારા હનુમાનજીને સંજીવની ઔષધી ની શોધમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે હનુમાનજી આકાશમાંથી હિમાલય તરફ જઈ રહ્યા હતા ત્યારે હનુમાનજીએ યક્ષ ઋષિને ઝાખું પર્વત પર તપસ્યા કરતા જોયા હતા અને ત્યાં તેઓ ઉતર્યા હતા અને વિશ્રામ કર્યો હતો અને યક્ષ ઋષિને સંજીવની બુટ્ટી નું સરનામું પૂછ્યું હતું.

આ ઋષિ પાસેથી સંજીવની વિશે માહિતી મેળવ્યા પછી હનુમાનજીએ તેમને ફરીથી મળવાનું વચન આપ્યું હતું પરંતુ કાલ નેમી નામના રાક્ષસના ભ્રમના કારણે હનુમાનજીને વિલંબ થયો જેના કારણે તેઓ ટૂંકા માર્ગે લંકા પાછા ફર્યા હતા.હનુમાનજી પોતાના વચન પ્રમાણે ઋષિને મળી શક્યા નહોતા જેના કારણે ઋષિ ચિંતામાં મુકાઈ ગયા હતા

અને ઋષિની ચિંતા દૂર કરવા અંતે હનુમાનજી પ્રગટ થયા હતા ત્યારબાદ ઋષિએ અહીં હનુમાનજીનું મંદિર બનાવ્યું અને આ સ્વયં ઘોષિત પ્રતિમા આજે પણ મંદિરના પ્રાંગણમાં સ્થાપિત છે.મિત્રો બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની પુત્રી શેતાનંદા અને જમાઈ નીખીલ નંદા દ્વારા 108 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા બનાવવામાં આવી હતી અને આનું નિર્માણ લગભગ વર્ષ 2008માં શરૂ કરવામાં આવ્યું હતું અને બે વર્ષ બાદ આ મૂર્તિ તૈયાર થઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "હનુમાનજી નો અનોખો ચમત્કાર..! સંજીવની ની શોધમાં આ પર્વત પર રોકાયા હતા ભગવાન હનુમાન,108 ફૂટ ના હનુમાનજીના દર્શન કરીને…"

Leave a comment

Your email address will not be published.


*