કોરોના ના કેસો વધતા ભારતના આ શહેરોમાં ફરી લાગુ થયો લોકડાઉન-નાઇટ કરફ્યુ.

Published on: 3:15 pm, Sun, 14 March 21

ભારતમાં કોરોનાવાયરસ ના કેસ માં ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર અને પંજાબમાં ફરીવાર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

અને એક જ દિવસમાં ગઈકાલે 16 હજારની આસપાસ નવા કોરોનાવાયરસ ના કેસો સામે આવ્યા છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં થી બહાર જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી રહી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લોકડાઉન ને લઈને અંતિમ ચેતવણી આપી દીધી છે અને તેઓએ લોકોને કોરોનાવાયરસ ના નિયમોનું કડકાઇથી પાલન કરવા સૂચના આપી છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે.

કે લોકડાઉન જેવા કઠોર ઉપાય લાગુ કરવા માટે સરકારને મજબૂર ન કરશો અને નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં હાલમાં નાગપુર,અકોલા, ઔરંગાબાદ સહિત ઘણા બધા વિસ્તારોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.

અત્યારે નાગપુર, અકોલા અને પરભણી માં લોકડાઉન લાગુ છે. ઔરંગાબાદમાં વિકેન્દ લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને આ સિવાય પુણેમાં નાઈટ કરફ્યુ તથા અમરાવતી, થાણે, નાસિક જેવા શહેરોમાં શાળાઓ બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે.

અને મુંબઈમાં કોરોના નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યુ છે.પંજાબમાં લુધિયાણા, મોહાલી, પટિયાલા સહિત આઠ જિલ્લામાં નાઇટ કરફ્યુ લગાવી દેવામાં આવ્યું છે.

આ કરફ્યુ રાત ના 11 વાગ્યાથી સવાર ના પાંચ વાગ્યા સુધી લાગુ રહેશે.પંજાબમાં શાળાઓ બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ના કેસો વધતા ભારતના આ શહેરોમાં ફરી લાગુ થયો લોકડાઉન-નાઇટ કરફ્યુ."

Leave a comment

Your email address will not be published.


*