સાંભળો દુલાભાયા કાગની કાગવાણી… કાગબાપુ એ કરેલી વાતો આજે ઘરે ઘરે સાચી પડી રહે છે, કાગબાપુએ કહ્યું હતું કે…

Published on: 10:31 am, Sat, 25 November 23

મિત્રો તમે બધા દુલાભાયા કાગને તો જરૂર ઓળખતા હશો. દુલાભાયા કાગની વાત કરીએ તો તેઓ ગુજરાતના એક સુપ્રસિદ્ધ લેખક, ગીતકાર હતા. દુલાભાયા કાગ પોતાની કાગવાણી માટે ખૂબ જ પ્રખ્યાત હતા. મિત્રો દુલાભાયા કાગે કળિયુગ વિશે ઘણી બધી વાતો કરી છે.

તમને જણાવી દઈએ કે, દુલાભાયા કાગને પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. દુલાભાયા કાગનો જન્મ સૌરાષ્ટ્રના મજાદર ગામે થયો હતો. દુલાભાયા કાગ ચારણ હતા અને કહેવાય છે કે ચારણોની જીભમાં માં સરસ્વતી વાસ કરે છે. દુલાભાયા કાગ ફક્ત પાંચ ધોરણ જ ભણેલા હતા.

દુલાભાયા કાગ પોતાની કાગવાણી માટે સમગ્ર દેશભરમાં પ્રખ્યાત હતા. દુલાભાયા કાગે પોતાની કાગ વાણીમાં જણાવ્યું હતું કે, કોઈપણ દિવસ એવા લોકોને મિત્ર ન બનાવતા જેમની માથે દેવો હોય છતાં પણ તેઓ દુનિયાની સામે દેખાવો કરતો હોય. ઉપરાંત જો કોઈ વ્યક્તિ પોતાના ખાસ મિત્રની ખાનગી વાતો બીજાને કહેતો હોય તો તે લોકોને પણ ક્યારેય મિત્ર ન બનાવતા.

દુલાભાયા કાગે વધુમાં કાગવણીમાં જણાવ્યું છે કે, જો તમારે આખા વિશ્વને કાબુમાં લેવું હોય તો નમ્રતા નો રસ્તો અપનાવજો. માત્ર દેખાદેખીમાં ક્યારેય આપણે આપણા શોખ પૂર્ણ કરવા ન જોઈએ. તેમને વધુમાં જણાવ્યું કે, જો કોઈપણ વ્યક્તિની સામે કઠણમાં કઠણ વાત તમે નમ્રતાથી કરશો તો લોકો તમારી વાતને ખૂબ જ માન આપશે. જ્યારે કોઈ વ્યક્તિની બુદ્ધિ ખતમ થઈ જાય છે.

ત્યારે તે રાવણ બની જાય છે. આ ઉપરાંત દુલાભાયા કાગે સજ્જન વ્યક્તિ અને દુર્જન વ્યક્તિ વચ્ચેનો તફાવત કહેતા જણાવ્યું કે, સજન વ્યક્તિ હોય તે સુપડા જેવો હોય છે. સજન વ્યક્તિ કામની વસ્તુ પોતાની પાસે રાખે છે અને નકામી વસ્તુઓને પોથાથી દૂર કરી દે છે. જ્યારે દુર્જન વ્યક્તિએ ચાસણી જેવો હોય છે.

કારણકે દુર્જન વ્યક્તિ નકામી વસ્તુ પોતાની પાસે રાખે છે. જેનું ઉદાહરણ આપતા દુલાભાયા કાગે જણાવ્યું કે, એક જંગલને ખતમ કરવા માટે માત્ર એક તણખલાની જરૂર છે. તેવી જ રીતે જીવનમાં કરેલા ઘણા બધા પુનિયાને ખતમ કરવા માટે માત્ર એક પાપ જ કાફી હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "સાંભળો દુલાભાયા કાગની કાગવાણી… કાગબાપુ એ કરેલી વાતો આજે ઘરે ઘરે સાચી પડી રહે છે, કાગબાપુએ કહ્યું હતું કે…"

Leave a comment

Your email address will not be published.


*