વરસાદની આગાહી વિશે જાણો શું કહે છે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ

Published on: 10:20 am, Thu, 10 September 20

રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. 12 થી 18 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ સર્જાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 અને 13 સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.13 સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રીય થશે. જેથી 16 અને 18 સપ્ટેમ્બર ગુજરાતમાં વરસાદનું જોર વધશે.

જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી કરી હતી કે, ગુજરાતમાંથી હજી વરસાદનું જોર ઘટયું નથી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 8 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે, 18 સપ્ટેમ્બરથી 5 મી ઓક્ટોબર વચ્ચે પણ વરસાદ થશે.

27 મી સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.હાલમાં સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યોહવામાનશાસ્ત્રી છે અને અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે આ મહિનામાં તો વરસાદ થશે જ. પરંતુ આગામી મહિને પણ એટલે કે ઓકટોબર મહિનામાં પણ એક સાઇકલોને સર્જાય છે અને વરસાદ પડી શકે છે.

ખેડૂતો માટે આ મહત્વના સમાચાર કહી શકાય કારણ કે, તાજેતરમાં વરસેલા વરસાદ ભારે તારાજી સર્જી હતી. ખેડૂતોને ભારે વરસાદથી કળ વળી નથી ત્યાં જ ફરીથી વરસાદની આગાહી આપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વરસાદની આગાહી વિશે જાણો શું કહે છે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ"

Leave a comment

Your email address will not be published.


*