કચ્છી કોયલ ગીતાબેન રબારીએ કહ્યું કે, મને જીવનમાં માતાજીની દયાથી બધું મળ્યું છે પણ મારે આ એક વસ્તુની ખોટ રહી ગઈ, મારે પણ કોઈ…

Published on: 3:08 pm, Sun, 16 October 22

મિત્રો તમે કચ્છી કોયલ તરીકે ઓળખાતા ગીતાબેન રબારીને તો જરૂર ઓળખતા હશો. ગીતાબેન રબારીના મધુર અવાજના ચાહકો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં છે. ગીતાબેન રબારી પોતાના મધુર અવાજથી લાખો ગુજરાતીઓના દિલ જીતી લીધા છે. ખૂબ જ નાની એવી ઉંમરમાં ગીતાબેન વિશ્વભરમાં પ્રખ્યાત બની ગયા છે.

ગીતાબેન રબારી ના દરેક ગીત સોશિયલ મીડિયામાં ખૂબ જ ફેમસ છે. હજુ હાલમાં જ નવરાત્રી આ નવરાત્રીમાં ગીતાબેન રબારી સુરત શહેરના મહેમાન બન્યા હતા. સુરત વાસીઓ નવરાત્રીમાં ગીતાબેન રબારીના મધુર અવાજ પર મન મૂકીને ગરબા રમ્યા હતા. સુરત શહેરમાં ગીતાબેને એક અનોખી રમઝટ બોલાવી દીધી હતી.

ત્યારે મિત્રો આજે આપણે ગીતાબેન રબારી ની એક એવી વાત કરવાના છીએ જે મોટેભાગના લોકો નહીં જાણતા હોય. ગીતાબેન રબારીના પરિવારની વાત કરીએ તો તેમના પરિવારમાં તેમના માતા પિતા અને બે નાના ભાઈઓ હતા. પરંતુ ઓલી કહેવત કહેવાય છે ને વિધયાતાએ લખેલા લેખક કોઈ ન બદલી શકે.

મિત્રો તમને જણાવી દઈએ કે ગીતાબેન રબારીના બંને ભાઈઓનું અકાર અવસાન થયું હતું. આજે ગીતાબેન રબારીને કોઈપણ સગો ભાઈ નથી. મિત્રો આ વિશે ગીતાબેન રબારીએ સોશિયલ મીડિયામાં વાતચીત કરી હતી. વાતચીત કરતા ગીતાબેન રબારીએ જણાવ્યું હતું કે, હું નાનેથી મોટી થઈ ત્યારથી અત્યાર સુધી મારા જીવનમાં એક જ વસ્તુની ખામી છે કે મારે કોઈ સગો ભાઈ નથી.

ભાઈની ખોટ એમને જ ખબર પડે જેમને કોઈ સગો ભાઈ હોતો નથી. ગીતાબેન રબારીએ વધુમાં વાત કરતા જણાવ્યું કે, મને ખૂબ જ દુઃખ થતું હતું કે મારો કોઈ સગો ભાઈ નથી. પછી તો હું ધીમે ધીમે સંગીત ક્ષેત્રમાં આગળ વધી અને માતાજીની દયાથી મને આ લાઈનમાં ખૂબ જ સારી એવી ખ્યાતિ મળી અને એટલું સારું નામ કમાવડાવ્યું કે આજે માતાજીએ મને સગાભાઈ કરતા પણ સવાયા ભાઈ આપ્યા છે.

ગીતાબેન રબારી એ કહ્યું કે હું જો વાત કરું તો રક્ષાબંધનમાં હું મારા 23 થી 24 ભાઈને રાખડી બાંધું છું. મારા બધા ભાઈઓએ મને સંગીત ક્ષેત્રમાં આગળ વધવામાં ખૂબ જ સપોર્ટ કર્યો છે અને મને હંમેશા ટેકો આપ્યો છે. હું મારા બધા ભાઈઓને ખૂબ જ પ્રેમ કરું છું. ગીતાબેન રબારી છેલ્લે વાત કરતાં જણાવે છે કે માતાજીએ મને સંગીત ક્ષેત્રમાં ખૂબ જ સફળતા આપી છે હું માતાજીનો ખુબ ખુબ આભાર માનું છું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કચ્છી કોયલ ગીતાબેન રબારીએ કહ્યું કે, મને જીવનમાં માતાજીની દયાથી બધું મળ્યું છે પણ મારે આ એક વસ્તુની ખોટ રહી ગઈ, મારે પણ કોઈ…"

Leave a comment

Your email address will not be published.


*