ખજૂરભાઈએ અમદાવાદના વૃદ્ધાશ્રમમાં જઈને ધામધૂમથી વૃદ્ધો સાથે ઉજવી ધુળેટી – તમામ વૃદ્ધોના ચહેરા પર આવી ગઈ સ્મિત…

Published on: 6:09 pm, Mon, 21 March 22

ગુજરાતના સોનુ સૂદ કહેવાતા ખજૂર ભાઈનું નામ આવે એટલે દરેક લોકોના મોટા પર સ્મિત આવી જાય છે. ખજૂરભાઈ પોતાના જીવનમાં ઘણા લોકોને ખૂબ જ મદદ કરે છે. ખજૂર ભાઈ એક પછી એક સેવાનું કામ કરતા જ રહે છે. તેમની આ સેવાની ચર્ચા ગુજરાતમાં ચારે બાજુ ચાલી રહી છે.

અત્યાર સુધીમાં ખજૂર ભાઈએ 180થી પણ વધારે જરૂરિયાતમંદ લોકોની આર્થિક રીતે મદદ કરીએ છીએ. જ્યારે ગયા વર્ષે ગુજરાત રાજ્યમાં વાવાઝોડું આવ્યું ત્યારે ઘણા લોકો ઘર વગરના થઈ ગયા હતા. ક્યારે આવા સમયમાં ખજૂર ભાઈ આ લોકોની મદદ કરવા આગળ આવ્યા હતા અને આ લોકોને રહેવા માટે નવા ઘર બનાવી આપ્યા હતા.

ખજૂરભાઈ હાલમાં ગયેલી ધૂળેટીનાં પવિત્ર તહેવાર ઉજવ્યો છે. ધુળેટીનો પવિત્ર તહેવાર ખજૂર ભાઈ તેમના પરિવાર અને મિત્રો સાથે નહીં. પરંતુ વૃદ્ધાશ્રમ માં જઈને ઉજવ્યો છે. ખજૂરભાઈ અમદાવાદમાં આવેલા હીરામણી સાંધ્ય જીવન વૃદ્ધાશ્રમમાં ધૂળેટીનો તહેવાર ઉજવવા માટે પહોંચ્યા હતા.

ખજૂરભાઈ વૃદ્ધો સાથે ધુળેટી ઉજવી હતી. ખજૂરભાઈ વૃદ્ધાશ્રમ માં જઈને ધામધૂમથી ધુળેટી ઉજવી હતી. ખજૂરભાઈ વૃદ્ધો સાથે ઢોલના તાલે ગરબા લીધા હતા. ખજૂરભાઈને જોઈને વૃદ્ધાશ્રમમાં હાજર તમામ વૃદ્ધો ખુશ થઈ ગયા હતા. બધા લોકોએ ભેગા મળીને ખૂબ જ રાજીખુશીથી ધુળેટી ઉજવી હતી.

વૃદ્ધો સાથે ધુળેટી ઉજવીને ખજૂર ભાઈ પણ ખૂબ જ ખુશ દેખાઇ રહ્યા હતા. ચારે બાજુ ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. વૃદ્ધાશ્રમમાં રહેતા તમામ વૃદ્ધોના ચહેરા પર સ્મિત આવી ગઈ હતી. તમામ વૃદ્ધોએ મન મૂકીને ગરબા લીધા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખજૂરભાઈએ અમદાવાદના વૃદ્ધાશ્રમમાં જઈને ધામધૂમથી વૃદ્ધો સાથે ઉજવી ધુળેટી – તમામ વૃદ્ધોના ચહેરા પર આવી ગઈ સ્મિત…"

Leave a comment

Your email address will not be published.


*