4 પેજની સુસાઇડ નોટ લખીને જવાનની પત્નીએ પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં એવા શબ્દો લખ્યા હતા કે…જાણો સમગ્ર ઘટના વિગતવાર…

Published on: 3:51 pm, Tue, 13 September 22

હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક નેવી જવાનની પત્નીના શંકાસ્પદ મૃત્યુનો મામલો સામે આવ્યો છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ વંદના હતું અને તેમની ઉંમર 26 વર્ષની હતી. વંદનાબેન એક શિક્ષિકા હતા. સોમવારના રોજ વંદનાના સાસરીયાના ઘરે વંદનાનું મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર વંદનાના રૂમમાંથી 4 પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી હતી.

જેમાં વંદનાએ લખ્યું હતું કે, હું તમને બધાને માફી માંગી માંગીને પોતાની નજરમાં નીચે પડી ગઈ છું. તમે લોકો ખૂબ જ સારા છો. હું તમારી સાથે રહેવા માટે લાયક નથી. ભગવાન તમને હંમેશા ખુશ રાખે. આ ઘટના મુઝફ્ફરપુરમાં બની હતી. અહીં પડાવ પોખરીની મેરી કોલોનીની શંકરપૂરી લોનમાં રૂમની અંદરથી વંદના નામની મહિલાનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને વંદનાના પિયરના લોકોનો આરોગ છે કે, સાસરિયાંઓ 20 લાખ રૂપિયા માંગી રહ્યા હતા. જે પૈસા ન આપતા વંદનાનો જીવ લઈ લીધો અને ત્યારબાદ તેને પંખા સાથે લટકાવી દીધી. આ સમગ્ર ઘટનાને લઈને વંદના ના પિયરના લોકોએ પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધાવ્યો છે. ત્યારબાદ પોલીસે વંદના ના પતિ અને સસરાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વંદનાનો પતિ દેવાકર મિશ્રા નેવીમાં સૈનિક છે.

વંદનાના લગ્ન 2020 માં થયા હતા. વંદના એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. તેની નોકરીનો સાસરિયાંઓ સતત વિરોધ કરતા હતા. જેને લઈને તેઓ વંદના સાથે ઝઘડો પણ કરતા હતા. ચાર પાનાના સુસાઇડ નોટમાં વંદનાએ પોતાના પ્રતિ પ્રત્યેના પ્રેમ વિશે લખ્યું છે. પોલીસે ચાર પાનાની સુસાઇડ નોટ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સુસાઇડ નોટની અંદર વંદનાએ પોતાના લગ્નથી લઈને મૃત્યુ સુધીની દરેક વાતો લખી હતી. આ ઉપરાંત સુસાઇડ નોટ ના છેલ્લા પેજમાં લખ્યું હતું કે, મારા માતા પિતા, સાસુ સસરા અને ભાભી બધા ખૂબ જ સારા માણસો છે. આ લોકો ખાલી સારા નહીં પરંતુ મહાન લોકો છે. હું મારા પતિને એટલું જ કહીશ કે તમે મને બિલકુલ સમજી શક્યા નથી. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. તમારા સિવાય હું બીજાના વિશે વિચારી પણ ન શકો.

વધુમાં તેને પોતાના પતિ વિશે લખ્યું હતું કે, મારે તારી સાથે જીવવું છે. પણ કોઈ કારણ વગર વારંવાર તારી માફી માંગુ છું જેનાથી હું મારી જ નજરમાં પડી રહી છું. હવે મારી પાસે કોઈ બીજો રસ્તો રહ્યો નથી. કારણકે હું તારા વિના જીવી શકતી નથી. હું જાણું છું કે તમે પણ એવું વિચારી રહ્યા છો કે હું તમારા જીવનમાંથી ચાલી જાવ. ખુશ રહેજો તમે ચાર લોકો ભગવાન તમને ઘણા બધા આશીર્વાદ આપે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "4 પેજની સુસાઇડ નોટ લખીને જવાનની પત્નીએ પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં એવા શબ્દો લખ્યા હતા કે…જાણો સમગ્ર ઘટના વિગતવાર…"

Leave a comment

Your email address will not be published.


*